SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ * શું નું બંધ ઃ ૧૪૭ તેથી જ લોકભાષામાં કહેવાય છે કે કરમને શરમ નથી, કરમને ભરમ નથી. ઋણના ઉદયના કેટલાક અતિ વિચિત્ર પ્રસંગે નીતિ-ધર્મના બાંધાના મૂળને ઉખેડી નાખનાર અથવા સામાજિક તથા કૌટુંબિક બંધારણના દુર્ગને તોડી પાડનાર હોવાથી તેને ઉલ્લેખ અહીં સહેતુ કરેલ નથી; પરંતુ તેવું બન્યા કરે છે એ હકીકત છે. ભૂતકાળમાં તેવા પ્રસંગો બન્યા હતા અને તેનું વર્ણન કથાનુગમાં અતિ સ્પષ્ટતાએ જોવા મળે છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યકાળ બનશે, કેમકે સર્વ ભાવ અનાદિ અનંત છે. ઋણાનુબંધના નિયમ અને ઉદયનું જ્ઞાન જે જીવને સતત્ સ્મૃતિમાં રહે અને તેને ઉપયોગમાં લેવાય તે ખૂબ જ હિતકારી અને ઉપકારી થાય તેમ છે. તે જ્ઞાન પ્રથમ તે દુઃખની ખીણમાં ગબડાવનાર એવા શ્રેષ, વેરઝેર, ઈર્ષ્યા, અસૂયા,નિંદા,તિરસ્કાર, મદ, મત્સર, અસત્ય, હિંસા, ચોરી આદિના અશુભ ભાવે( અને તેને લઈને અશુભ પ્રવૃત્તિ)ને મંદ કરનાર, રોકનાર અને અટકાવનાર થાય છે અને પછી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સહિષ્ણુતા, સરળતા, અવિધતા, અપ્રતિકારતા, નમ્રતા, મૌનતા એ આદિ ગુણેનું અંશે અંશે પ્રકટીકરણ કરી, ચારિત્રદશાને ખીલવી અધિક અધિક ઊંચે લઈ જાય છે. ઋણાનુબંધના નિયમને યથાર્થતાએ જાણનાર, ઓળખનાર અને ઉપયોગમાં લેનારને સ્વ અથવા પર સંબંધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy