SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ * ણ નુ બંધ ઃ ૧૪૧ આવે તે અશુભ ઋણની પતાવટનું કાર્ય શરૂ થાય છે, ત્યાં દેવ તિર્યંચના જીવને અનેક પ્રકારે ત્રાસ આપી હેરાન કરે છે. ભય પમાડ, માર માર, આહારાદિમાં વિદન નાખવાં, વાઈના કારણે તેના દેહને અચેતન જે કરે અને ક્યારેક હિંસક પ્રાણનું રૂપ ધારણ કરી તે પશુના દેહનાં અંગે દવા અથવા તે થકી પ્રાણહાનિ કરવી એ વગેરે પ્રકારો છે. તે બધું તિર્યંચના જીવને નિરાધારપણે ને પરાધીનતાએ વેઠવું પડે છે. તે બિચારા જીવની અતિ દયાજનક દશા હોય છે; પણ વેરી દેવના અંતરમાં દયાનો અંકુર ફૂટતે નથી, ઊલટું તેનું દુ:ખ, તેનો કકળાટ, તેની વેદના, તેની પીડાથી નીકળતી ચીસએ જોઈને પ્રસન્ન થાય છે. દેવ અને પારકી વચ્ચે ત્રણાનુબંધના ઉદય ઘને આશ્ચર્ય થાય તેવું છે કે આ બે ગતિઓના જી વચ્ચે ઋણાનુબંધના ઉઢય હોઈ શકે ખરા? શું તેમ થવું સંભવિત છે? કર્મ વિચિત્રતા વિચિત્રપણે વતે છે અને તેને અનુભવ થયા કરે છે, એટલે ઉપર જણાવ્યા પ્રમાણે બનવું તે અસંભવિત કે અશક્ય નથી. હા, એ ખરું છે કે આ પ્રકારના ઉદયની અત્યંત અપતા છે, પણ ઉદયસ્થિતિ હોય છે એ નક્કર હકીકત છે. તેનાં દષ્ટાંતે શાસ્ત્રમાંથી મળી શકે છે ને તેથી સિદ્ધાંતનું સમર્થન સહજ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy