SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ : આધ્યાત્મિક નિબંધો શુભ ફળનું અન્ય સુંદર, અતિ ઉપકારી અને આનંદપ્રદ દષ્ટાંત લઈએ. કેઈ ગુરુ-શિષ્યના મનુષ્યભવના શુભ પરમાર્થ ઋણના ઉદય પૂર્ણ થતાં અને શ્રી ગુરુનાં આયુષ્યકમની સ્થિતિ સમાપ્ત થતાં શ્રી ગુરુ ઉચ્ચ દેવગતિને પામે છે. શિષ્યની મનુષ્યભવમાં રહેવાની. સ્થિતિ હજુ શેષ રહી છે. આ વખતે કદીક બને વચ્ચેના શુભ ઋણાનુબંધના ઉદય આવે છે; ન માનવામાં આવે અથવા અશક્ય લાગે તો પણ તે ઉદય આવી શકે છે. તે વેળાએ શ્રી ગુરુ સહદે શિષ્યની જાગ્રત અવસ્થામાં આવે છે, દર્શન આપે છે, જ્ઞાનદાનનું અમૃત વરસાવે છે અને શિષ્યની આત્મિક દશા વધારવામાં ઉત્તમ નિમિત્ત થાય છે. સમર્થન માટે જુઓ શ્રી યોગાનંદ પરમહંસની આત્મકથામાં, શ્રી ગુરુના દેહવિલય પછી તેમના ગુરુ “શ્રી યુકતેશ્વરનું પુનરૂત્થાન” વાળું પ્રકરણ. થોડા વર્ષ પહેલાં જ બનેલી હકીકતનું, સત્ય ઘટનાનું સુંદર વર્ણન છે. ઉપર જણાવ્યા પ્રમાણે નહીં, તે અન્ય પ્રકારે પણ ઉદયગત ઋણની ચૂકવણી થાય છે તે જોઈએ. આ પ્રકારમાં ઊંચી દેવગતિને પામ્યા છે એવા શ્રી ગુરુદેવ શિષ્યને વપ્નમાં આવી દર્શન દે છે ને પિતાના આત્મિક બળની પ્રેરણું આપી તેને ઉત્સાહિત કરે છે, તથા/અથવા જ્ઞાનગંગાનું સુધાજળ વહેવડાવી પરમ આનંદિત કરે છે, તો કઈ વેળાએ શ્રી ગુરુ ગુપ્તપણે રહીને શિષ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy