SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ : આધ્યાત્મિક નિબંધો શુભ અને સુખદાયક પરિણામો અનુભવાય છે. તે વખતે કેવું અનુકૂળ અને પ્રેમભર્યું વર્તન હોય છે! એક બીજાને સહાયરૂપ થવાની કેવી નિર્મળ ભાવના હોય છે! કલેશ નહી, કંકાસ નહીં, ઝગડે નહીં, દ્વેષબુદ્ધિ નહીં, કુસંપ નહીં, માત્ર સંતોષ અને સુખ આપવાની વૃત્તિ હોય છે.. શુભ ણાનુબંધના ફળને દર્શાવતું બીજું દષ્ટાંત લઈએ. શ્રી ઉત્તમચંદ આર્થિક સ્થિતિમાં બહુ સાધારણ પણ ખાનદાન કુટુંબમાં જન્મ્યા હતા. યુવાન વયની મધ. સુધી સંસારની લીલી સૂકી ઠીક ઠીક જોઈ હતી અને તેમાંથી પૂર્વના શુભ સંસ્કારોને જાગ્રત કરવામાં કુશળ. એવા બોધને પામ્યા હતા. તેમને સ્વભાવ સરળ અને સેવાભાવી હતી. પ્રકૃતિની કંઈ ઉગ્રતા કહી શકાય પણ હદય અરીસા જેવું સાફ હતું, દ્વેષ, ઈર્ષા, વૈરવૃત્તિ, કઠોરતા આદિ અશુભ ભાવેને સદંતર અભાવ હતા. નેહ, કુટુંબ વત્સલતા, પરોપકારી બુદ્ધિ, સહાયકવૃત્તિ, પ્રામાણિકતા એ ગુણોને પ્રભાવ તેમનામાં પ્રદશિત હતે. આવડત ને ગુણોને લઈને જીવનની નીચી પાયરી પરથી ઊંચી પાયરી પર આવતા ગયા હતા, અને ઉત્તમ સ્થાન પર આરુઢ થયા હતા. તેમનાં પત્ની સુભદ્રા શાંત, સરળ અને ભદ્રપરિણામી હતાં. બંનેને ધર્માનુરાગ હતો અને અનુકૂળતાએ ધર્મારાધન કરતાં હતાં. નબળી સ્થિતિ હોવા છતાં ઉત્તમચંદે પિતાની સેવા તન, મન અને ધનથી ઉત્તમ પ્રકારે કરી હતી અને સુભદ્રાએ પણ સેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy