SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગમ્ય થઈ જ્ઞાનમાં ઝળકે છે, ત્યારે તે થકી ઉત્પન્ન થતું તેનું મહત કલ્યાણકારી ફળ સિદ્ધાંતરૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. ત્યાં એમ કહ્યું છે કે જે કોઈ ભાગ્યવંતને સાત વર્ષની વય વીત્યા પછી પૂર્વભવને કોઈ પ્રસંગ કે પ્રસંગે સ્મૃતિમાં અનુભવ ગમ્ય થાય, તે તે નિયમથી તે જ ભવે સમકિત એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અધિકારી બને છે. તે પ્રાપ્ત થયા પછી, સમકિત ન વમે તે વધુમાં વધુ પંદર ભવે શુદ્ધ, બુદ્ધ ને મુક્ત થાય છે. આ નિબંધમાં આ જ્ઞાનને સ્પર્શતા વિવિધ વિષયેની વિસ્તારથી ચર્ચા કરી તેની સમજણ આપવા અલ્પ પ્રયાસ કરેલ છે. ત્યાર પછીના ક્રમમાં આવે છે “ત્રાણાનુબંધ” નામને પાંચમે નિબંધ. અહીં કેટલાક અગત્યના અને અવશ્ય જાણવા રોગ્ય એવા નિયમને ઉલેખ કર્યો છે તથા તે સંબંધની વિશેષ માહિતી આપવા પ્રયત્ન કરેલ છે, જેથી મૂળભૂત સિદ્ધાંતે સમજવા માટેની અને હૃદયમાં ઊતરી જવા માટેના સુગમતા થાય. વળી તે ઉગી અને ઉપકારી નિયમને નિજ હિતાર્થે દૈનિક જીવનમાં કામે લગાડી તેને સુખરૂપ લાભ સહેલાઈથી લઈ શકાય તે શુભ હેતુ તેમાં રહ્યો છે એમ જણવા ગ્યા છે. ત્રાણાનુબંધના શુભાશુભ ઉદયે દર્શાવતા દષ્ટાંતો વાસ્તવિક જીવનમાંથી લેવામાં આવ્યાં છે. તેમાં આપેલ પાત્રોનાં નામ કપિત છે, પરંતુ કથા અને પ્રસંગે સત્યઘટનારૂપ છે. દષ્ટાંતકથાઓ વાચક કે શ્રોતાજનના ચિત્ત ઉપર હંમેશા ઊંડી અને ઘેરી છાપ અંક્તિ કરે છે અને તેના સુભગ પરિણામે કયારેક અથવા ઘણી વખત તેના જીવનનું વહેણ કોઈ આકસ્મિક રીતે આમૂલ પરિવર્તન પામી આત્મિક વિશુદ્ધતાના પવિત્ર પથ પર આવી જાય છે, એમ જાણીને દષ્ટાંત આપવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy