SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે નિબંધ છે, “પુ ઉપર એક વિચાર” શેડાં વર્ષ પહેલાં એક વખત જ્યારે અમે ફરવા માટે બગીચામાં જઈ એકાંત સ્થાને બેઠા હતા, ત્યારે અમારી દષ્ટિ સન્મુખ સુંદરતાથી શોભતાં રંગબેરંગી કમળ ફૂલો ખીલી ઊઠ્યાં હતાં. અમે શાંતભાવમાં સ્થિર થઈ તેમનું નૈસર્ગિક સૌંદર્ય તેમનું આકર્ષક નૃત્ય, અને અને તેમની ઉત્સાહભરી લીલા રસપૂર્વક નિહાળતા હતા અને આનંદિત થતા હતા. તેવામાં આસપાસ ફરી રહેલી અમારી દષ્ટિ એકાએક એક પુપ ઉપર, જાણે કેમ મંત્રમુગ્ધ થયા હૈઈએ તેમ ચેટી ગઈ અને તેની જ ભાવભીની પ્રવૃત્તિ, હોંશભરી કીડા તથા વિકાસના વિવિધ પાસાં દર્શાવનારી ક્રિયાઓ જોવામાં સ્તબ્ધતાએ રોકાઈ ગઈ. પરંતુ અલ્પ સમય વીત્યા બાદ અમારૂં ચિત્ત અધ્યાત્મના પગથારે ચડી ગયું અને પછી તે તેની અંદર એ એકલાં અને અટૂલાં પુષ્પની સાહજિક ક્રીડા અને લીલા સંબંધમાં પરમાર્થભાવના અર્થવાળું તથા અનુરૂપ એવું બધપ્રદ કલ્પના ચિત્ર ઉપસી આવ્યું, અને સ્મૃતિપટ પર સ્પષ્ટપણે અંકિત થયું એ ચિત્રના ફળ રૂપે તેનું વર્ણન આ નિબંધમાં શબ્દો દ્વારા કરવામાં આવેલ છે ત્યાં અંતમાં જણાવ્યું છે કે “પુષ” તે સમકિત” જીવને શિવ થવા માટે સૌથી પ્રથમ અગત્યતા છે સમકિત પ્રાપ્તિની, સ્વરૂપ પ્રતીતિની, સ્વાત્માનુભવની. તે સમતિનું માહામ્ય અપરંપાર છે, તે સમકિત સાચા જિજ્ઞાસુને કેવા કેવા પ્રકારે દ્વારા પિતા તરફ આકર્ષે છે, એ વગેરે આ નિબંધમાં કહેવામાં આવ્યું છે. હવે “જાતિસ્મૃતિજ્ઞાન” નામના ચેથા નિબંધ સંબંધમાં વિચાર કરીએ. પરમોત્તમ અને પરમ પવિત્ર વીતરાગદર્શનમાં આ જ્ઞાનને મહિમા અતિ સ્પષ્ટ અને સુગમપણે બતાવવામાં આવેલ છે. પૂર્વ ભવ કે ભવે જ્યારે જ્ઞાનાવરણીયકમની મંદતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy