SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણા નુ બંધ : ૯૩. સંસારના સગપણ સંબંધથી અથવા મિત્રાદિ સંબંધથી બંધાય છે અને પ્રીતિ-સ્નેહમાં સહજતાએ રહી પરસ્પર અનુકૂળતાએ વતે છે, તેમ પરમાર્થમાં અધ્યાત્મમાર્ગના રૂચિવંત જીવ બીજાઓ સાથેના શુભ ઋણાનુબંધના ઉદયથી સત્સંગીઓ, મુમુક્ષુઓ કે જિજ્ઞાસુઓ તરીકે પરસ્પર પ્રેમભાવથી જોડાય છે અને હેતથી મળીને સાથે, ધર્મારાધન કરે છે. આ પરથી એ પણ સમજાશે કે ગુરુ-શિષ્યના સંબંધ છે તે શુભ ઋણાનુબંધના ફળરૂપ છે. ઋણને શુભ ઉદય હેય તે વેળાએ શિષ્ય શ્રીગુરુના સમાગમમાં આવે છે. શ્રીગુરુની શાંતમુખમુદ્રાના દર્શનથી અથવા તેમનાં એકાંત હિતકારી વચનોના શ્રવણથી અથવા તેમના સાંનિધ્યની શીતળ અસરથી અથવા તેમનાં કરુણાર્ક અમીભર્યા નયનના પ્રભાવથી શિષ્ય પ્રભાવિત થાય છે અને “આ સાચા જ્ઞાની પુરૂષ છે” એવી તેના આત્મામાં પ્રતીતિ આવે છે તેમને ઉપકારી સદગુરુ તરીકે સ્વીકારી નિજાત્માના ઉત્કર્ષના હેતુએ તેમની આય-ભક્તિમાં જોડાય છે. ઉદયના બળવાનપણાની તરતમતાએ કયારેક પ્રથમ સમાગમગે આમ બને છે તે ક્યારેક કેટલાક વખતના સમાગમ પછી ઉપરોક્ત ફળ પ્રાપ્ત થતું દેખાય છે. આ ઉપરથી એ પણ લક્ષમાં આવશે કે અમુક જીવ અમુક જ જ્ઞાની પુરૂષથી શા માટે આકર્ષાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy