SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધ ૫ મેં ઋણાનુબંધ ભાભવના ભ્રમણકાળ દરમ્યાન એક જીવ અનેકાનેક અન્ય જીવ સાથે પરિચય અને સંબંધમાં આવે છે અને સંજોગો અનુસાર અનુકૂળ-પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે આવતાં રાગદ્વેષના તીવ્ર કે મંદ ભાવો કરી પરસ્પર કર્મોથી બંધાય છે. આ રાગદ્વેષની સાંકળ એ ઋણાનુબંધ છે. ઋણ એટલે કરજ-દેવું અને અનુબંધ એટલે તેને અનુસરતે અનુરૂપ ફળ દેનાર બંધ, રાગથી શુભબંધ અને દ્વેષથી અશુભબંધ થાય છે. શુભબંધના ઉદયનું ફળ મીઠું છે તથા અશુભબંધના ઉદયનું ફળ કટુ છે. ભભવમાં અન્ય છ સાથે વારંવાર થતા શુભાશુભ ભાવેને લીધે ઋણાનુબંધ દ્રઢ થતું જાય છે. તે શુભાશુભ ઋણની પતાવટ અથે જીવ ઋણાનુબંધી જી સાથે સંસારી સંબંધથી જોડાય છે, જેવા કે મા-બાપ, પતિ-પત્ની, ભાઈ-ભગિની, દેરાણી-જેઠાણું, પુત્ર-પુત્રી, સાસુ-વહુ, નણંદ-ભેજાઈ કાકા-કાકી, મામામાસી તેમ મિત્ર-શત્રુ, વ્યાપારી ભાગીદાર ઈત્યાદિ. એક જીવને જન્મ અમુક જ મા-બાપને ત્યાં શા માટે થયો તેનું કારણ આ સિદ્ધાંતથી સમજાશે, તેમ અન્ય સંબંધિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy