SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ : આધ્યાત્મિક નિબંધ પાછળના ભાવે જાણવાની શક્તિ ધરાવે છે. તે હદ ક્યાં સુધીની? એ પ્રશ્નના સમાધાનમાં પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે “ પૂર્વ સંજ્ઞા કાયમ રહેવી જોઈએ. અસંજ્ઞીને ભવ આવવાથી જાતિસમૃતિજ્ઞાન ન થાય.” એનો અર્થ એ થયો કે મતિજ્ઞાનની નિર્મળતા વિપુલતા સુધી પહોંચી શકે છે અને એ નિર્મળ જ્ઞાનરૂપ દર્પણમાં જીવે અસંજ્ઞીપણું છોડી સંજ્ઞી પણું પ્રાપ્ત કર્યું તે વખતના પ્રથમ ભવથી અત્યાર સુધીના સમસ્ત ભવે પ્રતિબિંબિત થાય છે. જીવના આત્મિક વિકાસમાં સંસીપણને પહેલો ભવ તિર્યંચ ગતિમાં હોય છે; ત્યાં કેટલાય ભલે કર્યા બાદ મનુષ્યદેહે મળે છે અને પછી કર્મબંધના ફળ અનુસાર ચારે ગતિમાં તિયચ, મનુષ્ય, નરક અને દેવ-બ્રમણ થાય છે. તે સર્વગતિના સર્વભવનું ભાન “જાતિસ્મૃતિજ્ઞાન” ના પ્રભાવથી આવી શકે છે. એટલે આ જ્ઞાનની મર્યાદા હોવા છતાં તેની જાણવાની શક્તિ કંઈ ઓછી નથી, આશ્ચર્ય પમાડે એવી અદ્ભુત છે, સંજ્ઞીપણું પ્રાપ્ત થયા પછી સિદ્ધ પર્યાય સુધીની કાળ મર્યાદા શાસ્ત્રમાં બે હજાર સાગરની કહી છે; તેમ ન થાય તે જીવનું ઉતરાણ થઈ તે એકેન્દ્રિય સુધી પહોંચી જાય છે અને ફરીથી ચઢાણ કરવું પડે છે. હવે પ્રશ્ન એ થાય કે અસંજ્ઞીને ભવ આવવાથી જાતિસ્મૃતિજ્ઞાન અટકી કેમ જાય છે ? અસંજ્ઞીના ભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy