________________
આપણું સઘળું ચિંતન ચાલે છે. એમ લાગે છે કે ભોગ માણસની એક પ્રકૃતિ બની ગયો છે. ભોગ ઃ પ્રાચીન ખ્યાલ
આજના યુગને ભોગવાદી યુગ કહેવામાં આવે છે. શું ભૂતકાળ ખૂબ ત્યાગવાદી હતો ? એમ કહેવું મુશ્કેલ છે કે અતીતના યુગમાં ભોગ નહોતો, ભોગ કરનારા નહોતા, માત્ર વૈરાગ્ય હતો, માત્ર ત્યાગ હતો. એમ કહેવાનું શક્ય પણ નથી. એ સાચું છે કે અતીતમાં ભોગ હતો, પ્રબળ ભોગવાદ હતો. તો પછી પ્રશ્ન એ છે કે આજના યુગને જ શા માટે એવો દોષ દેવામાં આવે છે, શા માટે એવું આરોપણ કરવામાં આવે છે કે આજનો યુગ ભોગવાદી યુગ છે? તેનું કારણ શું છે? તેનું પણ એક કારણ છે. શબ્દનો કોઈપણ પ્રયોગ અકારણ નથી થતો. પ્રાચીન યુગમાં પણ ભોગ હતો. જ્યારથી માનવીનું અસ્તિત્વ છે ત્યારથી ભોગ છે. અગાઉ ભોગ હતો પરંતુ યુગ ભોગવાદી નહોતો. તે સમયે પૂરતો અંકુશ હતો, નિયંત્રણ હતું. ખ્યાલો અલગ હતા. સંયમનું વાતાવરણ હતું. છેલ્લી બે શતાબ્દીઓમાં, ખાસ કરીને વર્તમાન શતાબ્દીમાં ભોગ વિશેના ખ્યાલો બદલાઈ ગયા છે. જ્યારે ખ્યાલો બદલાય છે, દૃષ્ટિકોણ બદલાય છે ત્યારે યુગનું નામ પણ બદલાઈ જાય છે, પ્રાચીન યુગ ભોગનો હોવા છતાં ભોગવાદી ન કહેવાયો કારણ કે ભોગને એક વિવશતા માનવામાં આવ્યો, અનાચરણીય માનવામાં આવ્યો. ભોગ : અભોગ
ભોગના સંદર્ભમાં એક સ્થિતિ છે અભોગની. કોઈ માણસ તેનો પ્રયોગ જ નથી કરતો. વ્યક્તિએ ઉપવાસ કર્યો, અભોગ થઈ ગયો. ખાધું જ નહિ, ત્યાગ થઈ ગયો ! ભોગના સંદર્ભમાં ત્રણ બાબતો ઉપર અવારનવાર ધ્યાન આપવું જોઈએ. પહેલી વાત છે ભોગની પાછળ આસક્તિનું પ્રમાણ કેટલું છે ? બીજી વાત છે ભોગનું પ્રમાણ કેટલું છે અને ત્રીજી વાત છે માણસ જે ભોગ કરે છે, શરીરની જરૂરિયાતોની પૂર્તિ કરે છે તેની પાછળ ખ્યાલ શો છે ? તેનો દૃષ્ટિકોણ કેવો છે ?
આસક્તઃ કિમતી માત્રા, માત્રા ભોગસ્થ કીટશી /
દષ્ટિકોણઃ કિંમકારઃ ભોગે ચિજ્યમિદં મુહુઃ // ભોગવાદઃ પરિણામ આજે ભોગની બાબતમાં દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ભોગની
– અસ્તિત્વ અને અહિંસા ન ૯૨ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org