________________
ભોગવાદી યુગમાં ભોગાતીત ચેતનાનો વિકાસ
મનનું કામ છે વિચારવાનું, ચિંતન કરવાનું. તે પોતાનું કામ કરે છે. આપણે આપણો સર્વે (મોજણી) કરવો જોઈએ, પોતાનું આત્માવલોકન કરવું જોઈએ. આપણે આત્મનિરીક્ષણ કરીએ કે ચોવીસ કલાકમાં મન કયા વિષય ઉપર વધુ વિચારે છે ? જાગૃત અવસ્થામાં કયા વિષય ઉપર મન વધુ વિચારે છે ? નિદ્રાની અવસ્થામાં કયા વિષય ઉપર મન વધુ વિચારે છે ? સામાન્ય રીતે એક વ્યક્તિ છ થી સાત કલાક નિદ્રા લે છે. તે સત્તર-અઢાર કલાક જાગૃત અવસ્થામાં રહે છે. આપણે નિદ્રાની વાત જવા પણ દઈએ, જાગૃત અવસ્થાનું સર્વેક્ષણ કરીએ- મન મુખ્યત્વે કયા વિષય ઉપર કેન્દ્રિત રહે છે ? આ પ્રશ્ન પોતાની જાતને જગાડવાનો પ્રશ્ન બની શકે છે. આ પ્રશ્ન વ્યક્તિને એવો બોધ આપી શકે છે કે તે કઈ દિશામાં જઈ રહી છે.
ચિંતન : કેન્દ્ર અને પરિઘ
-
મહાવીરે કહ્યું - માનવી ભોગ વિશે સૌથી વધુ ચિંતન કરે છે. માણસ ઓફિસમાં બેઠો હોય છે. ચા પીવાનો સમય થાય છે. તેનું મન ચામાં અટવાઈ જાય છે. ભોજનનો સમય થાય છે ત્યારે મન ભોજનમાં અટવાઈ જાય છે. કયારેક ટીવી જોવાનો સમય થઈ જાય છે અને કયારેક અખબાર વાંચવાનો સમય થઈ જાય છે. માનવી આ બધામાં પોતાની જાતને અટવાવતો રહે છે. પાંચેય ઇન્દ્રિયોના વિષય તેની સામે ચક્કર મારતા રહે છે. જ્યારે તે ઇન્દ્રિયોની દોડમાં થાકી જાય છે ત્યારે મનની દોડ શરૂ થઈ જાય છે.
‘ભોગામેવ અણુસોયંતિ' આ કેવી અનુભવસભર વાણી છે ! મનોવૈજ્ઞાનિકો કહે છે કે માણસમાં સૌથી વધુ તનાવ કામનાનો હોય છે. એનો સાર પણ એ જ છે કે માણસ સૌથી વધુ ચિંતન ભોગનું કરે છે. તે પૈસા કમાય છે ભોગ માટે. અન્ય પણ જે પ્રવૃત્તિ કરે છે તે ભોગ માટે કરે છે. કેન્દ્રમાં ભોગ છે. કેન્દ્રમાં છે કામ અને કામના. તેના પરિઘમાં
અસ્તિત્વ અને અહિંસા . ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org