________________
છે. વિધાયક ભાવોના વિકાસ માટે તપવું પડે છે પરંતુ નિષેધાત્મક ભાવ સ્વયં ઊભરાઈ આવે છે. તે માટે વિચારવું પણ નથી પડતું. સાધકતત્ત્વ છે અલોભ
આ તમામ સંદર્ભોમાં એસ એકમ્મા જાણતિ-પાસતિ-આ સૂત્રનું આપણે મૂલ્યાંકન કરીએ. આપણે માત્ર બૌદ્ધિક જ્ઞાન પૂરતા જ સીમિત ન રહીએ, પરંતુ સાક્ષાત્કારનો અભ્યાસ કરીએ. મહાવીર કહે છે કે જાણો-જુઓ. આપણે જાણીએ, જોઈએ પરંતુ આંખ વડે નહિ, મસ્તિષ્ક દ્વારા નહિ. ચેતના દ્વારા જાણીએ, ચેતના દ્વારા જોઈએ. ભગવાને અલોભ માટે જે સૂત્ર આપ્યું તેનો નિષ્કર્ષ છે-જો જ્ઞાતા-દૃષ્ટા થવું હોય તો અલોભ થવું પડશે. સૌથી મુશ્કેલ કામ અલોભ થવાનું છે. જ્યાં સુધી વ્યક્તિ અલોભ નહિ બને, ત્યાં સુધી કેવળજ્ઞાનની નજીક નહિ પહોંચે. ક્રોધ, માન, માયા વગેરે તો દૂર થઈ ગયાં પરંતુ લોભ ન ટળે તો અવરોધ ટકી રહેશે. અંતિમ અવરોધ લોભ છે. સૌથી મોટું સાધકતત્ત્વ અલોભ છે. અલોભની સાધના ત્યારે જ સધાઈ શકે છે, જ્યારે શરીર પ્રત્યે નિર્મમત્વની સાધના જાગે. અકર્માની સાધના મહત્ત્વપૂર્ણ સાધના છે. આપણે યત્કિંચિત્ પ્રમાણમાં શરીરના લોભને ઘટાડવાની દિશામાં પ્રયત્ન કરીએ, ભેદવિજ્ઞાનના વિકાસનો પ્રયત્ન કરીએ, આપોઆપ “જાનાતિ-પશ્યતિ'નું રહસ્ય આપણી સમક્ષ સ્પષ્ટ રીતે પ્રગટ થઈ રહેશે.
અસ્તિત્વ અને અહિંસા, ૮૨
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org