________________
સુધી માણસ નકામો નથી થતો ત્યાં સુધી તેનું સક્રિય જીવન પણ ખાસ ચાલતું નથી. સારું જીવન જીવવા માટે નકામા થવાની કલાને પણ શીખવી જરૂરી છે.
જૈન દર્શન ઃ નિવૃત્તિવાદ
પ્રવૃત્તિવાદ અને નિવૃત્તિવાદ એ બન્ને ખૂબ મહત્ત્વપૂર્ણ સૂત્રો છે. જીવન ચલાવવા માટે પ્રવૃત્તિનું એક ચક્ર આવશ્યક છે પરંતુ નિવૃત્તિ પણ ઓછા મહત્ત્વની નથી. જેટલું આવશ્યક પ્રવૃત્તિનું ચક્ર છે એટલું જ આવશ્યક નિવૃત્તિનું ચક્ર પણ છે. આચાર્યશ્રી પટણા વિશ્વવિદ્યાલયમાં ગયા. સ્વાગતકર્તા તરીકે રાષ્ટ્રકવિ શ્રી રામધારીસિંહ ‘દિનકર’ હતા. શ્રી દિનકરે કહ્યું કે, ‘આચાર્યશ્રી જૈન દર્શને એક મહાન તત્ત્વદર્શન આપ્યું છે - નિવૃત્તિવાદનું. આજના આ પ્રવૃત્તિપ્રધાન યુગમાં માણસ માનસિક તનાવ અને સંક્લેશો વચ્ચે ભીંસાઈ રહ્યો છે. આ જ પ્રવૃત્તિચક્રે અણુયુગને જન્મ આપ્યો છે. હવે જો માણસ પાછો નહિ વળે તો સર્વનાશ તેની સામે જ ઊભો છે.' તેમણે વિનંતિના સ્વરમાં કહ્યું કે, ‘આચાર્યશ્રી ! આપ લોકોને હવે નિવૃત્તિનો માર્ગ બતાવો.’ સ્વાભાવિક છે પ્રવૃત્તિ
-
જૈન ધર્મનું મુખ્ય તત્વ સંવર – નિવૃત્તિ છે. પ્રવૃત્તિને તો માણસ જીવતો જ હોય છે. શરીરને સ્થિર કેવી રીતે રાખવું એ શીખવું પડશે. કેવી રીતે મૌન રહેવું, કેવી રીતે મનને એકાગ્ર કરવું એ શીખવું પડશે. આપણે એમ માની લેવું જોઈએ કે પ્રવૃત્તિ જીવનનો સ્વાભાવિક ધર્મ છે, પરંતુ નિવૃત્તિ પ્રયત્ન અને અભ્યાસસાધ્ય ધર્મ છે. શું ક્રોધ કરવાનું શીખવાડનારી કોઈ વિદ્યાલય છે ? શું ક્રોધનું પ્રશિક્ષણ આપનારું કોઈ પ્રશિક્ષણ કેન્દ્ર છે ? એને માટે કોઈ પ્રશિક્ષણ કેન્દ્ર નથી છતાં ક્રોધ કરવાનું સૌ કોઈ જાણે છે, ક્ષમા કરવાનું નહિ. ક્ષમાનો વિકાસ પ્રશિક્ષણ વગર શક્ય નથી. જેટલા વિધાયક ભાવો છે તે તમામ માટે પ્રશિક્ષણ જરૂરી છે. જેટલા નિષેધાત્મક ભાવો છે, તે પ્રાકૃતિક રીતે જ આપોઆપ પ્રસ્ફુટિત થઈ જાય છે. ઘઉં, ચોખા, મકાઈ, બાજરી વગેરે મેળવવા માટે તેનાં બીજ વાવવાં પડે છે. બીજ વગર આ બધું ઉપલબ્ધ થતું નથી. ઘાસનું બીજ વાવવામાં આવતું નથી, આમ છતાં એનાથી ખેતર ભરાઈ જાય છે. વિધાયક ભાવ અને નિષેધાત્મક ભાવના સંબંધમાં આ જ વાત
અસ્તિત્વ અને અહિંસા ! ૮૧
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org