________________
નિઃશસ્ત્રીકરણ
શસ્ત્ર અને હિંસાને પર્યાવાચક સમજી શકાય છે. જ્યાં જ્યાં શસ્ત્ર હશે ત્યાં ત્યાં હિંસા હશે. જ્યાં અશસ્ત્ર હશે ત્યાં અહિંસા હશે. જ્યારે પ્રસ્તરયુગ હતો ત્યારે પથ્થરનાં અસ્ત્રો બન્યાં, પથ્થરનાં શસ્ત્રો બન્યાં.
ક્યારેક માટીનું ઢેડું મારવામાં આવતું, તે પણ એક શસ્ત્ર હતું. ત્યારપછી લોહયુગ આવ્યો અને લોહનાં શસ્ત્રો બન્યાં, તલવારો બની. બારુદનો યુગ આવ્યો અને બંદૂકો બની, ગોળીઓ બની, તોપો બની. શસ્ત્રનો ક્રમશઃ વિકાસ થતો રહ્યો. વિકાસ થતો થતો અણુબોમ્બ અને હાઇડ્રોજન બોમ્બનો યુગ આવ્યો, અણુશસ્ત્રો બન્યાં, બનતાં જ રહ્યાં. મૂળશાસ્ત્ર છે ભાવ
આ શસ્ત્રનો વિકાસ ક્રમશઃ થયો છે પરંતુ એક શસ્ત્ર સ્થાયી છે. તે પહેલાં પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ શસ્ત્ર જ આ તમામ શસ્ત્રોનું નિર્માણ કરી રહ્યું છે. તે ક્યારેય બદલાતું નથી, સ્થાયી છે અને એનું નામ છે અસંયમ. મહાવીરના શબ્દોમાં એનું નામ છે ભાવશસ્ત્ર. આચારાંગ સૂત્રમાં ષજીવનિકાય માટે વિવિધ પ્રકારનાં શસ્ત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આજે કોઈ સામાન્ય માણસ શસ્ત્ર શબ્દ કહેતાં જ તલવાર, બંદૂક કે લાકડી તરફ ધ્યાન આપશે. પરંતુ પાણી એક શસ્ત્ર છે, એવી કલ્પના કોઈ કરી શકતું નથી. મહાવીરે કહ્યું કે પાણી માટીનું શસ્ત્ર છે. વાયુ અગ્નિનું શસ્ત્ર છે. મહાવીરે અત્યંત ઊંડાણમાં જઈને શસ્ત્રો વિશે ખૂબ સૂક્ષ્મતાપૂર્વક પ્રતિપાદન કર્યું છે. તેમની ભાષામાં જે શસ્ત્ર છે, તેની સૂક્ષ્મતાની કલ્પના સુધી પહોંચવામાં દાર્શનિકોને પણ ખૂબ સમય લાગ્યો છે. શક્ય છે કે વૈજ્ઞાનિકોને તેના ઊંડાણ સુધી પહોંચવામાં અનેક શતાબ્દીઓ લાગી જાય. વાસ્તવિક શસ્ત્ર છે અસંયમ
તમામ શસ્ત્રોના મૂળમાં જે શસ્ત્ર છે તે છે ભાવશસ્ત્ર. માટીનું શસ્ત્ર છે, તેને બાહ્ય શસ્ત્ર માનવામાં આવે છે. તે વાસ્તવિક શસ્ત્ર નથી.
– અસ્તિત્વ અને અહિંસા, ૬૬
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org