________________
કેટલાક લોકો શરીર માટે પ્રાણીઓનો વધ કરે છે.
કેટલાક લોકો ચામડું, માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી, પાંખો, પૂંછડી, વાળ, શીંગડાં, વિશાળ-હાથીદાંત, દાંત, દાઢ, નખ, સ્નાયુ, હાડકાં અને કરોડરજ્જુ માટે પ્રાણીઓનો વધ કરે છે.
કેટલાક લોકો પ્રયોજનવશ પ્રાણીઓનો વધ કરે છે, તો કેટલાક લોકો કોઈ પ્રયોજન વગર પણ પ્રાણીઓનો વધ કરે છે.
કેટલીક વ્યક્તિઓ (એમણે મારા સ્વજનની) હિંસા કરી હતી, એવી સ્મૃતિ કરીને પ્રાણીઓનો વધ કરે છે.
કેટલીક વ્યક્તિઓ (એ મારા સ્વજનોની) હિંસા કરી રહ્યાં છે, એમ વિચારીને પ્રાણીઓનો વધ કરે છે.
કેટલીક વ્યક્તિઓ (એ મારી કે મારા સ્વજન વર્ગની) હિંસા કરશે એવી સંભાવના વિચારીને પ્રાણીઓનો વધ કરે છે. શું કરુણા જાગશે ખરી ?
પ્રશ્ન છે કે શું માનવીની વૃત્તિઓ બદલાશે ? ક્રૂરતા ઘટશે ? શું કરુણા જાગશે ? એમ લાગે છે કે ત્યાં સુધી કરણાને જગાડવાનો પ્રયત્ન સફળ થઈ નહિ શકે, જ્યાં સુધી લોભને ઘટાડવાનું પ્રયોજન સફળ નહિ થઈ જાય. પ્રેક્ષાધ્યાન શિબિર દરમ્યાન એક પ્રશ્ન રજૂ થયો કે ક્રોધને ઘટાડવા માટે જ્યોતિન્દ્ર ઉપર ધ્યાન કરાવવામાં આવે છે, નશો છોડાવવા માટે અપ્રમાદકેન્દ્ર ઉપર ધ્યાન કરાવવામાં આવે છે, ભયવૃત્તિ ઘટાડવા માટે આનંદકેન્દ્ર ઉપર ધ્યાન કરાવવામાં આવે છે, તો પછી લોભની વૃત્તિ દૂર કરવા માટે કયા કેન્દ્ર ઉપર ધ્યાન કરાવવું જોઈએ ? મેં કહ્યું કે આ બાબતમાં હું પોતે જ મૂંઝવણમાં છું. અન્ય વૃત્તિઓને બદલવાનાં સૂત્રો તો મળી ગયાં છે, પરંતુ લોભની વૃત્તિને બદલવાનું સૂત્ર હજી સુધી હાથમાં આવ્યું નથી ! ક્યાં છે દિલ અને દિમાગ ?
સૌથી જટિલ છે લોભની વૃત્તિ. સઘળી સમસ્યાઓ એમાંથી જ પેદા થયેલી છે. તેને બદલવી શી રીતે ? એ જ વૃત્તિને કારણે માણસ મંદ અને અજ્ઞાની બની રહ્યો છે. જે માણસ લોભી હોય, પ્રસાધન ઇચ્છતો હોય, આરામ ઇચ્છતો હોય તે ભણેલો હોવા છતાં મંદ છે. શિયાળાની ઋતુમાં દક્ષિણ દિશામાં પ્રસ્થિત સૂરજ પણ મંદ બની જાય છે. એક કવિએ અત્યંત સુંદર કલ્પના વ્યક્ત કરી છે :
– અસ્તિત્વ અને અહિંસા / ૫૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org