________________
ક્રૂરતાની પૃષ્ઠભૂમિ
શક્તિશાળી માણસ કમજોરને મારે છે, એ એક સિદ્ધાંત જેવું બની ગયું છે. માણસને વિચારવાની શક્તિ મળી છે પરંતુ તે પ્રાણીઓ સાથે જે અન્યાય કરી રહ્યો છે એ શું સંગત છે ખરો ? માનવીના મોજ-શોખે કેટલી ક્રૂરતા પેદા કરી છે, જેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. થોડાક આરામ, મોટાઈ અને સૌદર્ય માટે એ લો બધો અન્યાય આચરી રહ્યો છે ! લોકો કહે છે કે આંતકવાદ વધી રહ્યો છે. માનવીને તણખલાની જેમ મારી નાખવામાં આવે છે. જો માનવીના ચરિત્રને જોઈએ તો બીજું શું પરિણામ આવી શકે ? આ એક ચક્ર છે. જો હજાર માણસો ક્રૂરતા આચરશે તો લાખો માણસો ક્રૂર બની જશે. ક્રૂરતાની પાછળ શું છે ? એ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તેની પૃષ્ઠભૂમિમાં રૂપિયા, આરામ, સુંદર દેખાવાની વૃત્તિ અને મોટાઈની ભાવના છે. અખબારમાં વાંચવા મળ્યું કે કસ્તુરી મૃગ હવે સમાપ્ત થઈ રહ્યાં છે. પાશ્ચાત્ય દેશોમાં તેની માંગ ખૂબ વધી ગઈ છે. હવે તેનો ઉપયોગ શસ્ત્રોમાં થવા લાગ્યો છે તેથી તેનું મૂલ્ય વધી ગયું છે. મૃગોને મારનારાઓ અવેધ રીતે મારી રહ્યા છે. સ્તુરી મૃગનું અસ્તિત્વ જ નામશેષ થઈ ગયું છે. શિકારી માટે તો એ એક વ્યવસાય છે. રૂપિયાના લોભે, પ્રસાધન તથા સૌંદર્યના લોભે જે ક્રૂરતાને જન્મ આપ્યો છે તે દિલને આઘાત આપનારો છે. જટિલ છે લોભની વૃત્તિ
અસીલે વકીલને કહ્યું કે મારો કેસ ભારે અટપટો હતો અને ખોટો પણ હતો, પરંતુ તમે તમારી હોશિયારીથી મને વિજય અપાવ્યો. હું કયા શબ્દોમાં તમારી પ્રશંસા કરે ? મને કોઈ શબ્દો મળતા નથી. વકીલે કહ્યું કે, કોઈ શબ્દ શોધવાની જરૂર જ નથી. માત્ર એક શબ્દ જાણી લોરૂપિયા !
આજે હાથીઓની હત્યા થઈ રહી છે. હાથીદાંતના વેચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. ચામડા માટે વાઘ-ચિત્તા મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે કોઈ પ્રાણીની હત્યામાંથી પૈસા મળતા હોય તેને મારવામાં આવે છે. પરંતુ આ કોઈ નવી વાત નથી.
આપણે આચારાંગ સૂત્ર વાંચીએ. કયાં કયાં કારણોથી જીવની હત્યા કરવામાં આવે છે એનું વિશદ્ વર્ણન આચારાંગ સૂત્રમાં જોવા મળે છે. — —
— અસ્તિત્વ અને અહિંસા ક ૫૩ — — –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org