________________
આપણે સમાજનો ઇતિહાસ અવલોકીએ. માનવજગત અને વનસ્પતિજગત બન્ને સાથેસાથે જીવતાં રહ્યાં છે. માણસ પ્રથમ જંગલોમાં વૃક્ષોની વચ્ચે રહેતો હતો. આજકાલ મોટા ભાગના લોકો શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. આપણે જોઈએ છીએ કે શહેરોમાં મોટાં મોટાં મકાનો બની રહ્યાં છે, પરંતુ તેમની ચારે બાજુ નાનકડા બગીચા બનાવેલા હોય છે. પ્રશ્ન થઈ શકે કે મકાનની સામે બગીચો શા માટે ? એમ લાગે છે કે માણસે જંગલને છોડ્યું અને ગામ વસાવ્યું. ગામમાં તેનું મન ન લાગ્યું તેથી તેણે ગામમાં ફરીથી જંગલ વસાવ્યું. પ્રાણશક્તિ ઃ મુખ્ય આધાર
હકીકતમાં વૃક્ષ વગર માનવીનું મન જાગતું જ નથી. કોઈ માણસ કવિતા લખવા ઇચ્છે છે. જો તે વૃક્ષ નીચે બેસી જાય તો આપોઆપ કલ્પના આવવા લાગશે. વૃક્ષની નીચે કાગળ-કલમ લઈને લખવાનું શરૂ કરે તો વાર્તા પણ બની જશે. જ્યારે હર્યુંભર્યું, ફળો-ફૂલોથી લદાયેલું વૃક્ષ આંખોને જોવા મળે છે ત્યારે કોઈ શુષ્ક માણસ પણ સજળ બની જાય છે, સરસ બની જાય છે.
-
વનસ્પતિ આપણી પ્રાણશક્તિનો મુખ્ય આધાર છે. કોઈ વ્યક્તિને થોડાક સમય માટે કાળકોટડીમાં બંધ કરી દેવામાં આવે તો તેનો શ્વાસ રુંધાવા લાગશે. જ્યારે વ્યક્તિ પ્રાતઃકાળે બગીચામાં ફરવા માટે જાય છે ત્યારે તેનાં તન-મન અને ભાવ બધું સ્વસ્થ બનવા માંડે છે. માનવજગત અને વનસ્પતિજગત વચ્ચે કેવો ગાઢ સંબંધ છે ! છતાં માનવીના મનમાં તેના પ્રત્યે કરુણાનો અભાવ જોવા મળે છે. માનવીના મનમાં એક પ્રકારની ક્રૂરતા છુપાયેલી હોય છે. જે વનસ્પતિજગત પાસેથી તે આટલું બધું મેળવતો હોય છે તેના પ્રત્યે કરુણા, કોમળતા, સહૃદયતા, હમદર્દી અને ભાઈચારો હોવાં જોઈએ, પરંતુ તે તેના મનમાં નથી. જે જીવનનાં સાથી છે, જીવન આપનારાં છે તેમના પ્રત્યે પણ દયા નથી, આ એક વિડંબના છે.
આત્મતુલા
ભગવાન મહાવીરે આત્મતુલાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. મહાવીરે વનસ્પતિ અને માણસની જે સમાનતાઓ રજૂ કરી છે, તેમને આજે વિજ્ઞાન પ્રમાણિત કરી ચૂક્યું છે. મહાવીરની ભાષામાં માણસ અને વનસ્પતિનું સ્વરૂપ આ પ્રમાણે છે ઃ
અસ્તિત્વ અને અહિંસા ॥ ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org