________________
વનસ્પતિજગત અને આપણે
માણસ અને વનસ્પતિ બન્ને સાથીદાર છે. વનસ્પતિ વગર માનવીનું જીવન શક્ય નથી, પરંતુ માણસ વગર વનસ્પતિનું જીવન શક્ય હોઈ શકે છે. જો પ્રાચીન યુગની વાત કરીએ, યોગલિક યુગની વાત કરીએ તો તે વખતે જીવનની તમામ આવશ્યકતાઓ કલ્પવૃક્ષ ઉપર નિર્ભર હતી. તે દરેક કલ્પનાને સાકાર કરનારું વૃક્ષ હતું. યૌગલિક જીવોની અપેક્ષાઓ-ભોજન, વસ્ત્ર વગેરે કલ્પવૃક્ષ દ્વારા પૂર્ણ થતી હતી. મકાન, આભૂષણ, મનોરંજનના સાધનો, શૃંગાર, સાજ-સજાવટ, રહેણી-કરણી સઘળું કલ્પવૃક્ષને આશ્રિત હતું. લ્પવૃક્ષ વગર યોગલિક જીવનની લ્પના પણ કરી શકાય તેમ નથી. યોગલિક યુગ પછી માણસ સાથે રહેવાનું શીખું, ગામ વસાવવાનું શીખ્યું, મકાન બનાવવાનું અને ખેતર કરવાનું પણ શીખી લીધું. તેની પૂર્વે કલ્પવૃક્ષ જ તેનું મકાન હતું. યૌગલિક યુગના અંતિમ સમયે પ્રથમ મકાન બન્યું. મકાનનું નામ હતું અગાર. પ્રથમ મકાન લાકડામાંથી બન્યું. અગ-વૃક્ષમાંથી બન્યું તેથી મકાનનું નામ અગાર રાખ્યું. તે સમયે ન તો ઈટો હતી કે ન પથ્થર હતા. આખું મકાન લાકડામાંથી બનાવેલું હતું. જીવનનો નવો આરંભ
* જીવનની જરૂરિયાતો વધી. માણસે કપડાં બનાવવાનું શરૂ કર્યું. પ્રથમ કપડું રૂમાંથી બન્યું. તેનું પ્રણયન પણ વનસ્પતિજગત ઉપર આધારિત હતું. ભોજનની પૂર્તિનો સ્રોત પણ વનસ્પતિજગત હતું. તેની પ્રાપ્તિ માટે માણસે કૃષિ-ખેતી કરવાનું શરૂ કર્યું. એક તફાવત પેદા થઈ ગયો. માત્ર કલ્પવૃક્ષ ઉપર જ નિર્ભરતા હતી તે હવે સમગ્ર વનસ્પતિજગત ઉપર બની ગઈ. પ્રવૃત્તિનો વિસ્તાર થતો રહ્યો. મકાન અને વસ્ત્રો બનવા લાગ્યાં. પાક ઊગવા લાગ્યો. જીવનની જાણે નવી શરૂઆત થવા લાગી, પરંતુ બધુંય વનસ્પતિ જગત ઉપર નિર્ભર બની રહ્યું.
----— અસ્તિત્વ અને અહિંસા ન ૪૩ ——–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org