________________
ભગવતીની ભવિષ્યવાણી
આપણે ભગવતીનું પ્રકરણ વાંચીએ. જૈન કાળગણના અનુસાર અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. જ્યારે પાંચમો આરો (કાળખંડ) સમાપ્ત થવાનો હશે, છઠ્ઠો આરો શરૂ થશે ત્યારે આ જગતમાં વિચિત્ર સ્થિતિઓ પેદા થશે. એ સમયની સ્થિતિનું વર્ણન રોમાંચક છે. સૌપ્રથમ સમવર્તક વાયુ વહેશે. તે એવો પ્રલયકારી હશે કે પહાડ પણ પ્રકંપિત થઈ ઊઠશે. આજના યુગમાં પણ ક્યારેક ક્યારેક ચક્રવાત આવે છે, એમાં બળદગાડાં, કાર વગેરે ઊડી જાય છે, વૃક્ષોમાં ફસાઈ જાય છે. એ સમવર્તક વાયુ તો એટલો બધો ભયંકર હશે કે પહાડ અને ગામ પણ નાશ પામશે. તેમનું અસ્તિત્વ જ વિલુપ્ત થઈ જશે. તીવ્ર આંધીઓ ધસી આવશે. જેથી સમગ્ર આકાશ અને સમગ્ર ધરતી ધૂળથી છવાઈ જશે. ચંદ્રમા એટલો બધો ઠંડો પડી જશે કે રાત્રે કોઈ માણસ બહાર નીકળી પણ નહિ શકે. સૂર્ય એટલો બધો ગરમ થઈ જશે, એટલો બધો તમ થઈ જશે કે માણસ બફાઈ જશે. ભયંકર ઠંડી અને ભયંકર ગરમી ! વરસાદ પણ પડશે- પરંતુ પાણીનો નહિ અગ્નિનો વરસાદ પડશે, અંગારા વરસશે ! આજે એમ કહેવાય છે કે જ્યારે પરમાણુ વિસ્ફોટ થશે, નાભિકીય યુદ્ધ થશે ત્યારે આકાશ અગ્નિની જ્વાળાઓમાં ભરખાઈ જશે, જીવજગત પ્રાયઃ સમાપ્ત થઈ જશે. જે બચશે તેઓ આંધળા, બહેરા અને રોગી બની જશે.
ભગવતી સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જે વરસાદ વરસશે, તે રોગ વધારનારો હશે. તેનું પરિણામ એ આવશે કે માણસો, પશુપક્ષીઓ, કીડા-મકોડા અને વનસ્પતિ નષ્ટ પામશે. પહાડોમાં માત્ર એક વૈતાઢ્ય પર્વત બચશે, જેને આજે હિમાલય કહેવામાં આવે છે. બાકીના તમામ પહાડો અરવલી અને વિંધ્યાચલની ઘાટીઓ સુધ્ધાં પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશે. જે લોકો બચશે તેઓ હિમાલયની ગુફામાં ચાલ્યા જશે. તેઓ ન તો દિવસે બહાર નીકળી શકશે કે ન તો રાત્રે બહાર નીકળી. શકશે. માત્ર સંધ્યા કાળે થોડો સમય બહાર જઈ શકશે. નદીઓ મોટે ભાગે સુકાઈ જશે. માત્ર ગંગા અને સિન્ધુનો થોડોક તટ અવશેષરૂપે રહેશે. એ બચેલા લોકો કેટલીક માછલીઓ ખાઈને જેમ તેમ પોતાનું જીવન પસાર કરશે. જેવી રીતે ઉંદરો દરમાં પડ્યા રહે છે તેવી જ રીતે માણસો પહાડની ગુફાઓમાં ભરાઈ રહેશે. આ ભૂમિ અંગારાની જેમ
અસ્તિત્વ અને અહિંસા ૩૭
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org