________________
માણસમાં અસંયમ વધી ગયો છે. તે એટલું બધું ધન ઇચ્છે છે. એટલું બધું સુખ ઇચ્છે છે, એટલી બધી સગવડો ઇચ્છે છે કે તે માટે તે કંઈ પણ કરવા તૈયાર છે. જંગલોની કતલ કેમ થાય છે ? પૈસાના લોભને કારણે જંગલો કપાઈ રહ્યાં છે. મોટા મોટા ટેકેદારો અને અધિકારીઓની સાંઠગાંઠથી નિષિદ્ધ જંગલો ખુલ્લેઆમ કપાઈ રહ્યાં છે. કોઈ રોકનાર કે ટોકનાર નથી. અહીં પણ પૈસાનો લોભ છે અને ત્યાં પણ પૈસાનો લોભ છે. ધનનો આ લોભ, આ અસંયમ જંગલોનો સર્વનાશ કરી રહ્યો છે. તેનું પરિણામ છે ઓક્સીજનની ઊણપ અને કાર્બનનો અતિરેક. પર્યાવરણવિજ્ઞાન : અહિંસા
અસંયમને કારણે જ ખનિજનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. આ વૈજ્ઞાનિક યુગમાં જીવતા વૈજ્ઞાનિકો અને ભૌતિક માણસો શું ભવિષ્યની કલ્પના કરતા નથી ? શું ખનિજનું વધારે પડતું દોહન કરીને તેઓ ભવિષ્યની પેઢીઓને દરિદ્ર બનાવી રહ્યા નથી ? જે ખનિજ સંપત્તિ હજારો વર્ષ સુધી ઉપયોગમાં આવી શકે તે જો સો વર્ષમાં સમાપ્ત થઈ જાય તો કેવી સ્થિતિ પેદા થશે ? હવે પછીની પેઢી રડતી હશે. તે કહેશે કે અમારા પૂર્વજોએ અમારી સાથે આ શું કર્યું ! અમને તદ્દન દરિદ્ર અને નકામા બનાવી મૂક્યા !
પર્યાવરણ વિજ્ઞાનનું એક સૂત્ર છે – લિમીટેશન. પદાર્થને સીમા હોય છે. કોઈ પણ પદાર્થ અસીમ નથી હોતો. શું પદાર્થની સીમાનું આ સૂત્ર સંયમનું સૂત્ર નથી ? પર્યાવરણ વિજ્ઞાનનું બીજું મહત્ત્વનું સૂત્ર છેપદાર્થ સીમિત છે તેથી તેનો ઉપયોગ ઓછો કરો. પદાર્થોનો ઉપભોગ ઓછો થાય, પાણીનો વ્યય ઓછો કરવામાં આવે, ઉપભોગનો સંયમ કરવામાં આવે- આ સૂત્ર ધર્મનું નહિ પર્યાવરણ વિજ્ઞાનનું છે. પરંતુ સચ્ચાઈ બન્નેમાં એક છે. ધર્મનો માણસ કહેશે કે ખર્ચ ઓછો કરો, સંયમ કરો. પર્યાવરણ વિજ્ઞાની એમ કહેશે કે પદાર્થો ઓછા છે અને ઉપભોક્તાઓ વધારે છે તેથી ભોગની મર્યાદા રાખો. મહાવીરે ભોગોપભોગના સંયમનું જે વ્રત આપ્યું તે પર્યાવરણ વિજ્ઞાનનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. પદાર્થ વધારે પડતા કામમાં ન લો, અનાવશ્યક ચીજોને કામમાં ન લો, આ છે સંયમ અને એનું જ નામ અહિંસા છે. પર્યાવરણ વિજ્ઞાન છે.
– અસ્તિત્વ અને અહિંસા, ૩૬
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org