________________
હોય તો માત્ર ઈગો ખતરનાક પુરવાર થશે. ઈગો અને સુપર ઈગો વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. જો ઈગોને આપણે અસંયમ માની લઈએ તો સુપર ઈગોને સંયમ માની શકાય. ઈગો અસંયમ છે તો સુપર ઈગો સંયમ છે. જો ઈગો હોય, સુપર ઈગો ન હોય તો હિંસાનું હોવું અનિવાર્ય બની જશે.
આજે અસંયમને કારણે સમસ્યાઓ વધી રહી છે. આ જ અસંયમને ધ્યાનમાં રાખીને મહાવીરે કહ્યું હતું કે હિંસા ગ્રંથિ છે. હિંસા મોહ છે. હિંસા મૃત્યુ છે. હિંસા નરક છે. તેનો મર્મ એ છે કે જ્યારે
જ્યારે અસંયમ વધે છે ત્યારે ત્યારે હિંસાની સમસ્યા વિકરાળ બને છે. તે માનવી માટે મોત બની જાય છે. હિંસા મૃત્યુ કઈ રીતે છે? આ તથ્ય વિજ્ઞાનના સંદર્ભમાં સમજીએ. આજે પર્યાવરણ (ઈકોલોજી) વિશે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. વૈજ્ઞાનિકો માને છે કે જો પર્યાવરણનું અસંતુલન વધતું જશે તો એક દિવસ માનવજાત સમાપ્ત થઈ જશે. માત્ર માનવી જ નહિ પ્રાણીજગત પણ સમાપ્ત થઈ જશે! બે ભવિષ્યવાણીઓ
એક ભવિષ્યવાણી છે આજની અને બીજી છે અઢી હજાર વર્ષ પ્રાચીન. હમણાં જ મેં ‘હિન્દુસ્તાનમાં એક લેખ વાંચ્યો. તેમાં વિશ્વના ભવિષ્યની સ્થિતિનું વર્ણન હતું. અઢી હજાર વર્ષ પૂર્વે રચિત ભગવતી સુત્રમાં વિશ્વ વિશે એવી જ ભવિષ્યવાણી કરવામાં આવી છે. ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોના ભવિષ્યવેત્તાઓની અનેક ભવિષ્યવાણીઓ પ્રગટ થઈ છે, પરંતુ ભગવતીસૂત્રની આ ભવિષ્યવાણી હજી સુધી પ્રકાશમાં આવી નથી. વૈજ્ઞાનિક જગત દ્વારા પ્રલયના સંદર્ભમાં કરવામાં આવતી ભવિષ્યવાણીને ભગવતીસૂત્રના સંદર્ભમાં વાંચીએ તો સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉદ્ભવશે કે શું આ લેખ ભગવતી સૂત્ર વાંચીને તો નથી લખ્યો ને ? કદાચ એવો વિકલ્પ પણ પેદા થાય કે આ લેખમાં જે લખવામાં આવ્યું છે તે ભગવતી સૂત્રના પ્રણેતાએ હજારો વર્ષ પૂર્વે કઈ રીતે લખ્યું હશે ? માત્ર ભાવ જ નહિ, ક્યારેક ક્યારેક તો ભાષામાં પણ સમાનતા જોવા મળે છે ! ભવિષ્ય વિશ્વનું લેખની ભાષા છે – “આજે પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે.
-- અસ્તિત્વ અને અહિંસા ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org