________________
બની ગયો છું. હું અદ્વિતની અનુભૂતિમાં ચાલ્યો ગયો અને એવી અનુભૂતિ થવા લાગી કે ક્યાંક મારો દૃષ્ટિકોણ તો નથી બદલાઈ રહ્યો ને !
હકીક્તમાં જ્યારે આપણે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈએ ત્યારે આપણી સમક્ષ અતિ જ અદ્વૈત આવે છે. અદ્વૈતનો અર્થ માત્ર સંગ્રહ કરવાનો નથી. એ સ્થૂળ વાત છે. જેમ જેમ સ્થૂળથી સૂક્ષ્મ તરફ આપણું પ્રયાણ આગળ વધશે, તેમ તેમ દ્વત સમાપ્ત થતું રહેશે. અદ્વૈત પ્રત્યક્ષ આવતું રહેશે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ એટમ ઉપર જે પ્રયોગો કર્યા છે, જે સૂક્ષ્મતામાં આજના વૈજ્ઞાનિકો ગયા છે તે જોતાં એમ લાગે છે કે, સર્વત્ર ચેતના જ ચેતના છે. તેઓ આ રીતે કહે છે કે અદ્વૈત મોટું સત્ય છે. સર્વત્ર આત્મા જ આત્મા છે. અદ્વિતની મૂળ શોધ એટલા માટે થઈ હતી કે, વિશ્વનું, સૃષ્ટિનું મૂળ કારણ શું છે? એ જ મૂળ કારણની શોધનું નામ છે અદ્વૈતવાદ, સૃષ્ટિ : મૂળ કારણ
કેટલાક દાર્શનિકોનો નિષ્કર્મ એવો રહ્યો કે, સૃષ્ટિનું મૂળ કારણ ચેતન્ય છે. ચૈતન્યને કારણે સમગ્ર વિશ્વ પેદા થયું છે. આ ચૈતન્ય અદ્વૈતવાદ છે. વિશ્વના મૂળ કારણના સંદર્ભમાં અન્ય પણ અનેક સંશોધનો થયાં છે. કેટલાક દાર્શનિકોનો મત એવો હતો કે – સમગ્ર જગત મૂળમાંથી નીકળેલું છે. આ જડ અદ્વૈતવાદ છે.
અદ્વૈત અને દૈતનો મૂળ અર્થ છે – કારણની શોધ. જગતનું કારણ શું છે ? વિશ્વનો આ જે વિસ્તાર થયો છે, તેનું મૂળ કારણ શું છે ? આચાર્ય હેમચંદ્ર મહાવીરની સ્તુતિમાં લખ્યું કે
અપર્યય વસ્તુ સમસ્યાનમદ્રવ્યમતસ્ય વિવિથ્યમાનમ્ | આદેશભેદોદિતસપ્તભંગમદીદશરૂં બુધરૂપવેદ્યમ્ //
જ્યારે આપણે વસ્તુની અભેદરૂપે મીમાંસા કરીએ છીએ, ત્યારે તે દ્રવ્ય બની જાય છે, પર્યાય નથી રહેતી. જ્યારે આપણે તેના ભેદાત્મક
સ્વરૂપનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે એના પર્યાયો જ સામે આવે છે, મૂળ દ્રવ્ય નહિ. સપ્તભંગી દ્વારા વસ્તુની વિવક્ષાના જે દૃષ્ટિકોણ બતાવેલા છે, તે વિદ્વાનો માટે પણ જ્ઞાતવ્ય છે. અતિ માત્ર દર્શન જ નથી : - અદ્વૈત માત્ર દર્શન જ નથી, સાધનાનો બહુ મોટો પ્રયોગ પણ છે. પ્રમાણશાસ્ત્રની એક ચતુષ્ટયી છે – પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ અને પ્રમાણ.
– અસ્તિત્વ અને અહિંસા ૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org