________________
આચારાંગનું સમગ્ર અનુશીલના
અધ્યાત્મનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે આચારાંગ. ઈંગ્લેન્ડના એક ભાઈએ લખ્યું કે, “મેં આયારો વાંચ્યા અને વાંચ્યા પછી મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.” એ પત્રની ભાષા વાંચીને મને લાગ્યું કે તે ભાઈ દિગંબર જૈન પરંપરા સાથે જોડાયેલા હતા. તેમણે લખ્યું હતું કે, “શ્વેતાંબર પરંપરામાં આટલાં બધાં મહત્ત્વપૂર્ણ તથ્યો છે, તેની મને આજપર્યત ખબર જ નહોતી. હું જૈન વિશ્વભારતીમાં ત્રણ મહિના સુધી રહીને જૈન દર્શનનું અધ્યયન કરવા ઇચ્છું છું.” આયારોના અંગ્રેજી અનુવાદ અનેક વિદેશી વિદ્વાનોએ વાંચ્યા છે. આ સંદર્ભમાં તેમની પ્રતિક્રિયાઓ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રહી છે. અહિંસાનો મહાન પ્રયોગ
આચારાંગ અદ્વૈતનો કર્તવ્યસભર ગ્રંથ છે. આચારાંગમાં માત્ર એટલું જ નથી કહ્યું કે, કોઈપણ જીવને ના મારો; પરંતુ તેમાં એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે, પ્રત્યેક પ્રાણી સાથે અદ્વૈત સાધો. પ્રત્યેક પ્રાણી સાથે અદ્વૈતની અનુભૂતિ એ અહિંસાનો મહાન પ્રયોગ છે. જ્યાં સુધી આવી અનુભૂતિ નથી થતી. ત્યાં સુધી કોઈ અહિંસક બની શકતું નથી, જ્યાં સુધી પ્રત્યેક પ્રાણી સાથે એકાત્મકતાની અનુભૂતિ નથી જાગતી ત્યાં સુધી હિંસાના સંસ્કારો તૂટતા નથી. વર્તમાન સમસ્યા એ છે કે, આજે આપણા દર્શનના વિદ્વાનો અદ્વિતની ચર્ચાઓમાં અટવાયેલા છે. અને તેને જીવન સાથે ખાસ કોઈ લેવાદેવા નથી. ચર્ચાથી પર થઈને
જ્યાં સુધી દર્શન પ્રાયોગિક ન બને, ત્યાં સુધી દર્શનનો પૂર્ણ વિકાસ થઈ શકે નહિ. અદ્વૈત જ અદ્વૈત
ગણાધિપતિશ્રીનો જોધપુરમાં ચાતુર્માસ હતો. હું “જૈનદર્શન : મનન ઔર મીમાંસા' પુસ્તક લખી રહ્યો હતો. લેખન દરમ્યાન જ્યારે અદ્વૈતનો અધ્યાય લખવાનો શરૂ કર્યો ત્યારે મને એમ લાગ્યું કે, હું તદ્દન અદ્વૈતવાદી
– અસ્તિત્વ અને અહિંસા - ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org