SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના ક્યાં અને ક્યારે ? આપણી સમક્ષ જેટલા પદાર્થો છે, જેટલી વ્યક્તિઓ અને જેટલી ઘટનાઓ છે, જેટલી સમસ્યાઓ અને જેટલી પરિસ્થિતિઓ છે, જો તે તમામની વ્યાખ્યા કરીએ તો બે સ્થિતિઓ પ્રસ્તુત થશે કાં તો આપણે બિલકુલ અસત્યમાં ચાલ્યા જઈશું કાં તો આપણે સત્યની ખૂબ નજીક પહોંચી જઈશું, સત્યની ભૂમિકા સુધી પહોંચી જઈશું. જો આપણે નિરપેક્ષ એકાંતવાદની મદદ લઈશું તો આપણે ચોક્કસ રૂપે અસત્યની ભૂમિકામાં ચાલ્યા જઈશું. જો આપણે થોડીક અનાગ્રહ દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે સત્યના પરિઘમાં પહોંચી જઈશું. જો આપણે સાપેક્ષ દૃષ્ટિનો પ્રયોગ કરીશું તો આપણે સત્યની અંદર પ્રવેશ પામી જઈશું. સાપેક્ષવાદ ભગવાન મહાવીરે સાપેક્ષવાદનું સૂત્ર રજૂ કર્યું, અનેકાન્તવાદ, વિભજ્યવાદ અને સ્યાદ્વાદનું દર્શન આપ્યું. મહાવીરે કહ્યું કે જો આપણે સાપેક્ષવાદનો પ્રયોગ નહિ કરીએ,માત્ર નિરપેક્ષ દૃષ્ટિથી ચાલીશું તો સત્યના મંદિરમાં આપણો પ્રવેશ નહિ થાય. આપણે પ્રત્યેક વાતમાં સાપેક્ષ દૃષ્ટિનો પ્રયોગ કરવો જોઈએ. ભલે તે સાધના કે આરાધનાનો પ્રશ્ન હોય, દુકાન કે ઓફિસનો પ્રશ્ન હોય. રસોડામાં પણ અનેકાન્તનો પ્રયોગ આવશ્યક છે, દુકાન અને ઓફિસમાં અનેકાન્તનો પ્રયોગ આવશ્યક છે, કોઈ મિલ કે ફેક્ટરીને ચલાવવા માટે પણ અનેકાન્તનો પ્રયોગ આવશ્યક છે. જો અનેકાન્તનો પ્રયોગ થશે તો સમન્વય સધાશે, મૈત્રી સધાશે, પરસ્પરતા સધાશે. જો એકાંતનો પ્રયોગ થશે તો સંઘર્ષ વધશે, લડાઈઓ વધશે. અનેકાન્તષ્ટિ એક એવું તત્ત્વ છે કે જેના સહારે આપણે વ્યવહારની સમસ્યાઓને પણ ઉકેલી શકીએ છીએ, પારમાર્થિક સમસ્યાઓનું સમાધાન પણ પામી શકીએ છીએ. સાધના ક્યાં કરવી ? એક પ્રશ્ન છે કે સાધના ક્યારે કરવી ? ક્યાં કરવી ? આ પરમાર્થનો અસ્તિત્વ અને અહિંસા ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy