________________
માટે આ વાત ખૂબ સારી છે. આવી વાત એવી જ વ્યક્તિ કહી શકે કે જેનું જીવન અવધૂત બની ગયું હોય.
અવધૂત હતા ગણાધિપતિ તુલસી
કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે સાધના કરીને આવે છે અને કેટલીક વ્યક્તિ એવી હોય છે કે કે જે વર્તમાનમાં સાધના કરીને અવધૂત બને છે. અવધૂતોનું દર્શન પોતે જ ભારે વિચિત્ર હોય છે.
ભિવાની ગામમાં કેટલીક વ્યક્તિઓ ગણાધિપતિ પાસે ગઈ. તેમણે કહ્યું કે અમે આપની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છીએ છીએ.
ગણાધિપતિશ્રીએ કહ્યું - આજનો જમાનો શાસ્ત્રાર્થનો નથી. તમે શાસ્ત્રાર્થ કરવાનું કેમ ઇચ્છો છો ?
અમારું ખાસ પ્રયોજન છે.
ગણાધિપતિશ્રીએ પૂછ્યું – તમે શું ઇચ્છો છો ?
પેલી વ્યક્તિઓ આર્ય સમાજ સાથે સંબંધિત હતી, ભલા માણસો હતા. તેમણે સાચી વાત વ્યક્ત કરતાં કહ્યું કે અમે આપને પરાજિત કરવા ઇચ્છીએ છીએ.
ગણાધિપતિશ્રીએ કહ્યું કે બસ આટલી નાનકડી વાત માટે તમે શાસ્ત્રાર્થ કરવા માગો છો ? તમે એમ માની લો કે હું હારી ગયો અને તમે જીતી ગયા. તમે બજારમાં જઈને મારા તરફથી એવી જાહેરાત કરી શકો છો કે ગણાધિપતિ તુલસી હારી ગયા અને અમે જીતી ગયા.
આવો જવાબ સાંભળીને આગંતુક વ્યક્તિઓ સ્તબ્ધ બની ગઈ. ‘હું હારી ગયો’ આવી વાત કોઈ અવધૂત વ્યક્તિ જ કરી શકે, સામાન્ય વ્યક્તિ ન કરી શકે.
નવું દ્વાર ખૂલે
આપણા સામાન્ય જગતથી અલગ છે અવધૂતોનું જગત. અવધૂત એટલે શરીરને એવી રીતે પ્રકંપિત કરવું કે જેનાથી જમા થયેલો મળ નીકળી જાય, થોડાંક નવાં દ્વાર ખૂલી જાય. પ્રેક્ષાધ્યાનનો એક પ્રયોગ છે અંતર્યાત્રા. એ ચેતનાના ઊર્ધ્વરોહણનો પ્રયોગ છે. ચેતનાને ઉપર શી રીતે લઈ જવી- આ વાત જાણવી જરૂરી છે. જ્યાં સુધી ચેતનાના
અસ્તિત્વ અને અહિંસા ૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org