________________
આણાએ મામગં ધર્મ
સારું જીવન જીવવા માટે ત્રણ વાતો જરૂરી છે- અતીન્દ્રિયજ્ઞાન, માર્ગદર્શન અને નિયંત્રણ. માનવીમાં અજ્ઞાન છે તેથી આગમની જરૂર છે. આગમ છે અતીન્દ્રિયજ્ઞાન. જરૂરી છે અતીન્દ્રિયજ્ઞાન, જેનાથી અજ્ઞાન દૂર થાય, રસ્તો પ્રકાશિત થાય, સ્થિતિ સ્પષ્ટ બને. જરૂર છે માર્ગદર્શનની. માનવીમાં અવિવેક છે તેથી તે એટલું નથી સમજી શકતો કે કયા કાર્યમાં મારું હિત છે, કયા કાર્યમાં મારું અહિત છે. હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગનો વિવેક જાગે એ માટે માર્ગદર્શનની જરૂર છે. ત્રીજી જરૂર છે નિયંત્રણની. માનવીમાં વૃત્તિઓનો આવેગ છે. વ્યક્તિ પોતાના આવેગને રોકી શકે એ માટે નિયંત્રણની જરૂર છે. આજ્ઞા : આગમ
મહાવીરે કહ્યું “આણાએ મામગ ધમ્મ મારો ધર્મ આજ્ઞામાં છે. આજ્ઞાનો એક અર્થ છે- આગમ. જેના દ્વારા અતીન્દ્રિય પદાર્થ જાણવામાં આવે છે, પરોક્ષ વસ્તુઓ જાણવામાં આવે છે તે આજ્ઞા છે, આગમ છે. આપણું જીવન પ્રત્યક્ષમાં ઓછું, પરોક્ષમાં વધુ અટવાયેલું છે. જીવનની હજારો ગાંઠોમાંથી બેચાર ગાંઠો જ પ્રત્યક્ષ છે. બાકીની બધી જ ગાંઠો પરોક્ષ છે. તે તમામ ગાંઠો, ગ્રંથિઓને સમજવા માટે કેટલો બધો પ્રકાશ જોઈએ ! આગમ એક પ્રકાશદીપ છે. તે એવો પ્રકાશદીપ છે કે જે આકાશમાં બળે છે, જીવનના અતીત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને આલોકિત કરે છે, જેની જ્યોતિમાં સમગ્ર જીવન વાંચી અને સમજી શકાય છે. અસીમ છે અજ્ઞાત
આગમ દ્વારા કર્મના સંદર્ભમાં જે પ્રકાશ મળ્યો છે તે જો ન મળ્યો હોત તો માનવી ખૂબ અટવાયેલો રહ્યો હોત. આજે વિજ્ઞાન દ્વારા જીનનો જે સિદ્ધાંત મળ્યો છે, તેનાથી તમામ જીવની વ્યાખ્યા થઈ શકે છે. પ્રયોગશાળામાં બેઠેલો વૈજ્ઞાનિક જીનને જોઈને ઘણું બધું જાણી લે છે.
અસ્તિત્વ અને અહિંસાને ૨૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org