________________
અનાત્મપ્રજ્ઞામાં હોય છે. જેની પ્રજ્ઞા આત્મા સાથે જોડાઈ જાય છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી. આત્મકશ બનીએ
આપણે એક કસોટી આપણી સામે રાખીએ. આપણે કંઈપણ કરીએ ત્યારે એમ વિચારીએ કે મારા આ કાર્યથી મારા આત્માનું કશું બગડ્યું તો નથી ને ? આપણા કાર્યને કોઈ જોતું હોય કે ન જોતું હોય, આપણને કોઈ કાંઈ કહેતું હોય કે ન કહેતું હોય એ એટલું મહત્ત્વનું નથી જેટલું મહત્ત્વનું છે આ કસોટીને સામે રાખવાનું. જે વ્યક્તિ આ કસોટીને સામે રાખે છે તેને કોઈ દુઃખી નથી કરી શકતું. મહાવીરે મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું કે આત્મપ્રજ્ઞ બનો. જ્યાં સુધી આત્મપ્રજ્ઞ નહીં બનીએ ત્યાં સુધી વિષાદમાંથી મુક્તિ નહીં મળે. ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનારે સૌ પ્રથમ આત્માને જાણવો જોઈએ. જે આત્મવાદી છે, પરલોકને માને છે, કર્મ અને કર્મફળને માને છે તેમના માટે આત્મા સાથે જોડાઈ રહેવાનું દર્શન સહજ પ્રાપ્ત છે.
-
- અસ્તિત્વ અને અહિંસા કે ૨૨૮ -
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org