________________
કાચબો ફરીથી આકાશ જોઈ ન શક્યો
લક્ષ્ય ઊંચું રાખો
લક્ષ્ય હંમેશાં ઊંચું રાખો. ઉદ્દેશ ક્યારેય નાનો ન હોવો જોઈએ, યોજના પણ નાની ન હોવી જોઈએ. નાનાં લક્ષ્ય અને નાની યોજનાઓથી ઉત્સાહ જાગતો નથી. તે ક્યારેય પૂર્ણતાને પામતાં નથી. મોટી યોજનાઓ અને મોટાં લક્ષ્યો પૂરાં થાય છે કારણ કે તેમની પાછળ ઉત્સાહ અને પ્રેરણાનું બળ હોય છે. જગતના પ્રખ્યાત ચિંતકોએ એ જ કહ્યું કે ઉપર તરફ ચાલો, લક્ષ્ય મોટું બનાવતાં રહો. જો કોઈ શ્રાવકને પૂછવામાં આવે કે તમારું લક્ષ્ય શું છે ? તો એ ઉત્તર આપશે કે મારું લક્ષ્ય છે સાધુ બનવું, અણુવ્રતીમાંથી મહાવતી બનવું. હકીકતમાં આ લક્ષ્ય નથી, આ એક યાત્રા છે, પડાવ છે. જો એક મુનિ એમ વિચારે કે હું સાધુ બની ગયો, બધું જ થઈ ગયું, તો એ બહુ મોટી ભૂલ કરે છે. જો સાધુ બનાવાનું જ લક્ષ્ય હોય તો સાધુદીક્ષાની સાથે જ તેની પ્રાપ્તિ થઈ જાય છે. સાધના કરવાની કે વીતરાગ બનવાની જરૂર જ નથી. ચક્વર્તી ભરતે મુનિદીક્ષા પણ ન લીધી, તેઓ પોતાના ઘરમાં બેઠાં બેઠાં જ વીતરાગ બની ગયા. વાસ્તવમાં સાધુ બનવું એ તો બહુ જ નાનું લક્ષ્ય છે. સમસ્યા એ છે કે આપણે આજે પણ આ વાત સમજી નથી શક્યા કે આપણું લક્ષ્ય શું છે ? લક્ષ એક જ છે.
મહાવીરે કહ્યું કે કેટલાક સાધુ એવા છે કે જે સાધુ થવા છતાં અવસાદ પામે છે, વિષાદ પામે છે. કોઈ મુનિ એમ વિચારે છે કે સાધુજીવન કેવું મુશ્કેલ છે ! વિહાર કરવા, પગે ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી વેઠવી વગેરે જેવાં કેટકેટલાં કષ્ટો છે ! આવું વિચારનાર મુનિ અવસાદ પામે છે. પ્રશ્ન એ છે કે અવસાદ શા માટે થાય છે? મહાવીરે તેનું કારણ બતાવ્યું કે જે અનાત્મપ્રજ્ઞ છે, જેમણે આત્મપ્રાપ્તિનું લક્ષ્ય રાખ્યું નથી તેમને વિષાદ થાય છે. સાધુનું લક્ષ્ય છે આત્માને પામવાનું.
– અસ્તિત્વ અને અહિંસા , ૨૨૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org