________________
ઇસુવદ્ વિરસાઃ પ્રાન્ત, સેવિતાઃ સ્યુ પરે રસાઃ /
સેવિતસ્તુ રસઃ શાન્તઃ સ્યાત્ પર પરમ્ // નવ અક્ષરોનું ઊંડાણ
ભોગની પ્રકૃતિ છે કે તે પહેલાં સારી લાગે છે, પરંતુ પછી નીરસ લાગવા માંડે છે. ત્યાગની પ્રકૃતિ છે કે તે પહેલાં રુક્ષ લાગે છે પરંતુ ધીમે ધીમે સરસ બનતો જાય છે. આ ભોગ અને ત્યાગની કસોટી છે. જે વ્યક્તિએ સત્યની કસોટીને આંકી નથી, તે સચ્ચાઈને સમજી શકતી નથી. તે પોતાને જ નહીં, બીજાઓને પણ દગો કરે છે. સત્ય અને સંયમ વગર પવિત્રતા શકય નથી. “સચ્ચે લોયમિ સારભૂયં” – આ નવ અક્ષરોમાં જે ઊંડાણ છે તે અમાપ્ય છે. જો આપણે આ નવ અક્ષરોનું જગતના તમામ ભોજ્ય પદાર્થોના સંદર્ભમાં મનન કરતાં રહીએ તો આપણે એ ઊંડાણમાં પહોંચીએ છીએ કે જ્યાં જગતનો એક નવો નકશો સામે આવે છે, યથાર્થતા સામે આવે છે. સારઃ સારનો આભાસ
આપણે આ સચ્ચાઈનો અનુભવ કરીએ. આ જગતમાં સત્ય, સંયમ અને ત્યાગ સિવાય સાર શું છે ? મોહને કારણે માણસ અસારમાં સારનું આરોપણ કરી રહ્યો છે, અસારને સાર સમજી રહ્યો છે. અસંયમ એક વખત સાર લાગે છે, વ્યક્તિ એમાં સારનું આરોપણ કરે છે, પરંતુ તે સારનો આભાસ છે, સાર નથી. જ્યારે વ્યક્તિ પોતાની મૂળ પ્રકૃતિમાં પાછી ફરે છે, તેનામાં એવી મતિ જાગે છે કે મેં જેને સાર માની લીધો હતો તે હકીકતમાં સારભૂત ન નીકળ્યું. યથાર્થમાં “સત્ય અને સંયમ જ સાર છે', અનુભૂતિ તેની દિશા બદલવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ બને છે. મહાવીરની આ અમૂલ્ય વાણીને જે દિવસે આપણે આત્મસાત્ કરી શકીશું, તે દિવસે આ સૂક્ત આપણા જીવનનું સત્ય બની જશે.
– અસ્તિત્વ અને અહિંસા ક ૨૨૨
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org