________________
જે વાત અહેતુગમ્ય હોય તેને માટે તર્કને વચ્ચે લાવવાનો પ્રયાસ ના કરો. ઘણીબધી વાતો એવી છે કે જે તર્કનો વિષય જ નથી બનતી. ભગવાન મહાવીરે શુદ્ધ આત્માના સંદર્ભમાં જે કહ્યું, તે અતીન્દ્રિય ચેતનાના સ્તરે જ કહેવાનું શક્ય બને છે. નેતિવાદ
ઉપનિષદ્ગો નેતિવાદ અત્યંત પ્રચલિત છે. શુદ્ધ આત્માને સમજાવવા માટે મહાવીરે પણ નેતિવાદનો પ્રયોગ કર્યો છે. ઘણાં બધાં તત્ત્વો સકારાત્મક દૃષ્ટિએ સમજાવી શકાતાં નથી. આચારાંગમાં શુદ્ધ આત્માના સંદર્ભમાં નેતિવાદનો પ્રયોગ કરતાં કહેવામાં આવ્યું કે
શુદ્ધ આત્મા ન દીધું છે, ન હસ્વ છે, ન વૃત્ત છે, ન ત્રિકોણ છે, ન ચતુષ્કોણ છે, ન પરિમંડલ છે.
તે ન કૃષ્ણ છે, ન નીલ છે, ન પીત છે કે ન તો શુક્લ છે. તે ન તો સુગંધ છે, ન તો દુર્ગધ છે.
તે ન તિક્ત (તીખો) છે, ન કરુ છે, ન કષાય છે, ન અસ્તુ (ખાટો) છે અને ન તો મધુર છે.
તે ન કર્કશ છે, ન મધુર છે, ન ગુરુ છે, ન લઘુ છે, ન શીત છે, ન ઉષ્ણ છે, ન સ્નિગ્ધ છે અને ન તો રુક્ષ છે.
તે ન સ્ત્રી છે, ન પુરુષ છે કે ન તો નપુંસક છે. તે શરીરવાન નથી, જન્મધર્મા નથી, લેપયુક્ત નથી.
તે શબ્દ દ્વારા પ્રતિપાદ્ય નથી, તર્ક દ્વારા ગમ્ય નથી, મતિ દ્વારા ગ્રાહ્ય નથી.
તેનો બોધ કરાવવા માટે કોઈ ઉપમા નથી, કોઈ પદ નથી. બદ્ધ આત્માઃ મુક્ત આત્મા
આખરે આત્મા છે શું? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે તે અરૂપી સત્તા છે. તે એક્લો છે, તેનો કોઈ સાથી નથી. તે જ્ઞાનમયસત્તા છે, સર્વતઃ ચેતન્યમય છે. આત્માનું એક લક્ષણ બની ગયું-રૂપરહિત સત્તા. અસ્તિત્વ છે, પરંતુ અરૂપી છે. જે માત્ર શરીરને આત્મા સમજે છે, શરીરથી ભિન્ન આત્મા નથી માનતા તેમને આ ભેદરેખા બતાવવામાં આવી કે શરીર રૂપી છે અને આત્મા અરૂપી છે. આકાશ પણ અરૂપી છે પરંતુ તે જ્ઞાનમયસત્તા નથી. આત્મા જ્ઞાનમય સત્તા છે.
– અસ્તિત્વ અને અહિંસા - ૨૧૬ ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org