________________
ભેદરેખા દોરવામાં આવી - માણસ ઊંચો છે અને બાકીનાં બધાં નિમ્ન છે. સંહારની પદ્ધતિ
આ તમામ સંદર્ભોમાં આપણે મહાવીરની એ વાણીનું મૂલ્યાંકન કરીએ કે “જેને તું મારવા ઇચ્છે છે, તે તું જ છે'. એક દેડકાને મારતી વખતે એવું પ્રકમ્પન કેમ નથી થતું કે હું મને પોતાને જ મારી રહ્યો છું ! શું એક માણસ માટે આટલાં નિર્દોષ પ્રાણીઓની હત્યા ઉચિત છે ? માણસનું નશ્વર શરીર શું એટલું બધું મહત્ત્વનું છે ? માણસની પોતાના પ્રત્યે આટલી પ્રબળ ઘેલછા કેમ છે ? હું આ વાત સમજી શકતો નથી. આટલી બધી હિંસા, આટલાં બધાં અતિક્રમણ, આટલા બધા નિર્દોષ જીવોનું ઉત્પીડન માત્ર એક માણસને બચાવવા માટે જ ? એને કઈ રીતે વાજબી ગણી શકાય ? લોકો કહે છે કે આતંકવાદ ન વધવો જોઈએ. તે કેમ ન વધે ? જ્યારે માણસની વૃત્તિ હિંસા કરવાની બની જાય અને તે એક ભેદરેખા દોરી દે તો હિંસા તો અવશ્ય વધશે જ. તેને રોકી નહીં શકાય. હું એમ માનું છું કે થોડીઘણી હિંસા વગર જીવન ચાલી ન શકે. જૈનધર્મનું મંતવ્ય પણ એ જ છે કે હિંસાનું અલ્પીકરણ થવું જોઈએ. ચિકિત્સાની એક પદ્ધતિ અહિંસાની દૃષ્ટિએ શોધવામાં આવી. વિચાર કરવામાં આવ્યો કે હિંસા ઘટવી જોઈએ વનસ્પતિ-ચિકિત્સાનું કાર્ય શરૂ થયું. પરંતુ જ્યાં માંસ-ચિકિત્સાની વાત આવી ત્યારે સમગ્ર વાત ડહોળાઈ ગઈ. જેનાચાર્યોએ એને ત્યાજ્ય ગણાવી. એક ગ્રંથ છે - કલ્યાણકારકં. તેમાં માંસ-ચિકિત્સા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આજે માણસને બચાવનારી ચિકિત્સા પદ્ધતિ લાખો – કરોડો પ્રાણીઓના સંહારની પદ્ધતિ બની રહી છે. અભેદને નિહાળીએ
આપણે હિંસા દ્વારા હિંસાના અલ્પીકરણ તરફ જઈએ, અભેદને જોતાં જઈએ તો અહિંસાનો વિકાસ થશે, ક્રૂરતા ઘટશે. આજે સ્થિતિ એવી છે કે શુદ્ધ દવા મળવી પણ મુશ્કેલ છે. આ સમસ્યાના સંદર્ભમાં આપણે એ સૂત્રને મહત્ત્વ આપીએ કે અભેદ ચેતના જગાડીએ તો સમાધાનનું સૂત્ર આપણા હાથમાં આવી શકશે. જે દિવસે વ્યક્તિના ભીતરમાં આવી ચેતના જાગી જશે એ દિવસે કરુણાનો અવિરત પ્રવાહ
– અસ્તિત્વ અને અહિંસા - ૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org