________________
સમાનતાની આસ્થા જાગે
મહાવીરે કહ્યું કે ધૃણાની આ જે પ્રણાલી ચાલી રહી છે, તેની સાથે લડો. જ્યાં સુધી વિષમતા સાથે લડનારી જીવનપ્રણાલી નહિ બને ત્યાં સુધી માનવીય એકતા ઉપર આધારિત, સમાનતા ઉપર આધારિત જીવનપ્રણાલીનો વિકાસ નહિ થાય. વિષમતામાંથી ધૃણા પેદા થાય છે. આ સમસ્યાઓનો અંત પોલીસ અને સેનાની ફલેગ માર્ચ દ્વારા પણ શક્ય નથી. એનું એક જ સમાધાન છે અને તે છે - સમાનતાની વૃત્તિનો વિકાસ. આપણી આ સમાનતામાં આસ્થા જાગે – તમામ માણસો સમાન છે, માનવજાતિ એક છે. આ આસ્થા જેટલી પ્રબળ બનશે એટલું આપણે વિષમતા સામે લડી શકીશું, વિષમતાને કારણે પેદા થનારી લડાઈઓ અને સંઘષોની સ્થિતિ સામે લડવામાં સફળ થઈશું. શાંતિ અને સમન્વયનું અસ્ત્ર
લડવાનું એક અસ્ત્ર છે શાંતવૃત્તિનો વિકાસ. આપણે કોઈપણ નિર્ણય લઈએ, કાર્ય કરીએ, તે ઉત્તેજનાપૂર્ણ સ્થિતિમાં ન કરીએ.
જીવવાનો એવો અભ્યાસ કેળવીએ કે આપણે સંઘર્ષની કોઈપણ સ્થિતિની વિરુદ્ધ પોતાની શાંતવૃત્તિ ન ખોઈએ. સંઘર્ષને શાંતિપૂર્વક સહન કરીએ. શાંતિપૂર્વક સમસ્યાનું સમાધાન કરીએ, સમજુતિ અને સંધિ કરીએ. આપણે પહેલાં ઉત્તેજના ફેલાવીએ, લડીએ, પછી શાંતિ અને સમજુતિની વાતો કરીએ. એના કરતાં તો સારું એ છે કે આપણે પહેલેથી જ શાંતિના અસ્ત્ર વડે લડીએ. લડવા માટેનું જે સૌથી સુંદર હથિયાર છે એ શાંતિનું હથિયાર છે. તેને અણુબોંબ પણ હરાવી નથી શકતો. મહાવીરે કહ્યું કે જીવનમાં વિજયી થવાનું કોઈ અસ્ત્ર હોય તો તે શસ્ત્ર નથી, શાંતિ છે, ક્લહ નથી, સમન્વય અને સમાધાન છે. આપણે આ સચ્ચાઈ સમજીએ, શાંતિ અને સમન્વયની ચેતના જગાડીએ. આવી સ્થિતિમાં જ “આવો, લડીએ'. આ નિમંત્રણ સાર્થક બની શકશે. જેના હાથમાં શાંતિ અને સમન્વય એ બે અસ્ત્રો છે, તેને કોઈ હરાવી નથી શકતું. તે હંમેશાં અપરાજેય અને અજાત શત્રુ રહે છે.
-~-~-- અસ્તિત્વ અને અહિંસા , ૧૯૭
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org