________________
પ્રમાદનાં કારણો
આજકાલ લોકો ઠંડાં પીણાં ખૂબ પીએ છે, ઠંડા પદાર્થો ખૂબ ખાય છે. જો વધારે ઠંડા પેય પદાર્થો ખાવામાં આવે તો વિસ્મૃતિ જ પેદા થશે. વધારે ઠંડું પીણું પીવાથી કફ વધે છે. કફ સ્મૃતિમાં મંદતા લાવે છે,જડતા લાવે છે. જો વધારે ગરમ પીવામાં આવે તો માણસ ચીડિયો બનીજાય છે, ક્રોધી બની જાય છે. વિસ્મૃતિ માટે જવાબદાર છે ઠંડાં પીણાં. આજના જગતમાં પ્રમાદનાં અનેક કારણો છે. એક વિસ્મૃતિ એ છે કે જેમાં વ્યક્તિ કોઈ વાત યાદ કરે છે અને થોડીક વારમાં જ ભૂલી જાય છે. આવી વિસ્મૃતિ બહુ ખતરનાક નથી. એક વિસ્મૃતિ એ છે કે જેમાં વ્યક્તિ પોતાના અસ્તિત્વને જ ભૂલવા માંડે છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે. હું મુનિ છું, હું શ્રાવક છું – એ તથ્યને વ્યક્તિ ભૂલી જાય છે. મહાવીરે આ વિસ્મૃતિથી બચવાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું – શરીએક્ષા, શરીરને જોવું. અન્વેષણ ક્ષણનું
પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં અનેક વખત કહેવામાં આવે છે કે જો ઊંઘ ન આવે તો તેની ચિંતા ન કરો. નિદ્રા ન આવે તો સૂઈ જાઓ, સૂતાં સૂતાં અન્વેષણ શરૂ કરી દો, અનુસંધાન શરૂ કરી દો. પગના અંગુઠાથી શરૂ કરીને મસ્તિષ્ક સુધી સમગ્ર શરીરમાં ચિત્તને ફેરવો. ઉપરથી નીચે, નીચેથી ઉપર. સમગ્ર શરીરની પ્રેક્ષા કરતા રહો. પાંચ-દસ મિનિટ પછી એવો અનુભવ થશે કે જાણે સમગ્ર શરીરમાં ઝણઝણાટી થઈ રહી છે. આવી સ્થિતિમાં કાં તો નિદ્રા આવી જશે અથવા તો નિદ્રા થકી જે હળવાશની અનુભૂતિ થાય છે તેવી અનુભૂતિ પ્રાપ્ત થઈ જશે. અંતરની જાગરૂક્તા એટલી બધી વધી જશે કે નિદ્રા ન આવવાનું કોઈ કષ્ટ રહેશે જ નહિ. સમસ્યાના સમાધાનનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – આ શરીરની આ ક્ષણનું અન્વેષણ. જે વ્યક્તિ વર્તમાન ક્ષણ ઉપર ધ્યાન જોડી દે છે તે ઘણી બધી સમસ્યાઓનું સમાધાન પામી જાય છે. શરીઍક્ષા : આધારસૂત્ર
આ શરીરની આ ક્ષણને જુઓ’ – આચારાંગ સૂત્રનું આ વાક્ય શરીએક્ષાનું આધારસૂત્ર છે. આ જે સ્થૂળ શરીર છે, દારિક શરીર છે, એમાં વર્તમાનમાં જે કાંઈ ઘટિત થઈ રહ્યું છે તેને જુઓ. નાડીની ગતિ, હૃદયની ધડકન અને શ્વાસ-પ્રાસ આ ત્રણેયની ખબર પડે છે,
– અસ્તિત્વ અને અહિંસા : ૧૯૦ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org