________________
નથી બનતો ત્યાં સુધી દુઃખની શોધ બહાર અને બહાર જ ચાલે છે. વ્યક્તિ ભીતરમાં પહોંચી શકતી નથી. બહાર ને બહાર જ ભટકતી રહે છે. જે માત્ર બહાર રહે છે તે બહારમાં જ ફસાતો જાય છે.
એક સમાધાન છે – જે વંચના કરે છે, ઠગાઈ કરે છે, તે બહાર ને બહાર રહે છે, ભીતરમાં જઈ શકતો નથી. એ જ વ્યક્તિ ભીતરમાં જઈ શકે છે કે જે અવંચક હોય છે, ઋજુ હોય છે, જે ઠગાઈ અને વંચના નથી કરતી. નિર્વેદ
સમાધાનનું એક સૂત્ર છે – જે દૃષ્ટમાં આસક્ત થાય છે તે બહાર રહે છે. જે દૃષ્ટમાં આસક્ત નથી થતો તે અંદર પહોંચી જાય છે. જે અદૃષ્ટની પાસે પહોંચી જાય છે તે અંદર રહે છે.
મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – દૃષ્ટિથી વૈરાગ્ય કરો. નિર્વેદ છે પદાર્થને કામમાં લેવો પરંતુ પદાર્થ સાથે જોડાવું નહિ. પદાર્થને જાણી લેવો ખરો પરંતુ ભોગવવો નહિ - આ છે નિર્વેદ. જે દૃષ્ટ છે, દેખાઈ રહ્યું છે તેની સાથે સંબંધ ન સ્થાપવો એ નિર્વેદ છે. એનો અર્થ છે – પદાર્થમાં આસક્ત ન બનવું. જે વ્યક્તિ દષ્ટ સાથે નિર્વેદ કરે છે, તે અંદર ચાલી જાય છે. જે વ્યક્તિ દૃષ્ટ સાથે જોડાઈ જાય છે તે બહાર જ બહાર રહે
અદષ્ટ પ્રત્યે આસ્થા
સમસ્યા એ છે કે અદૃષ્ટ પ્રત્યે વિશ્વાસ નથી જાગતો, આસ્થા નથી લાગતી. ધાર્મિક લોકોની આસ્થા અષ્ટ સાથે જોડાયેલી છે એમ કહેવું મુશ્કેલ છે. એવી વ્યક્તિઓ વિરલ છે કે જેમની અદષ્ટ સાથે આસ્થા જોડાયેલી હોય. જો અદૃષ્ટ સાથે આસ્થા જોડાઈ જાય તો સમગ્ર જીવન બદલાઈ જાય. વ્યક્તિની આસ્થા પદાર્થ સાથે જોડાયેલી છે. અનેક વ્યક્તિઓ એટલા માટે ધર્મ કરે છે કે ધન મળે, પરિવારમાં સુખશાંતિ જળવાય, ભવ મળે, પૂત્ર મળે. ધર્મની ધારણા પણ પદાર્થો સાથે જોડાઈ ગઈ. કોઈ વ્યક્તિને એવી ખબર પડી જાય કે અમુક મુનિ મહારાજ વચનસિદ્ધ છે, તેમનું પ્રત્યેક વચન સત્ય બની રહે છે. તો લોકો તેમની પાછળ ઊમટી પડે છે. તેઓ એમ નથી વિચારતા કે એમનો ધર્મ શો છે ? તત્ત્વ શું છે ? પરંપરા શી છે ? આવી તમામ બાબતો ગૌણ બની જાય છે. જેનાથી કંઈક ભૌતિક આકાંક્ષાની પૂર્તિની સંભાવના
- અસ્તિત્વ અને અહિંસા ન ૧૭૬
2
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org