________________
કોણ અંદર, કોણ બહાર?
શિષ્ય ભગવાનને પૂછ્યું – ભંતે ! બહાર કોણ ? અંદર કોણ? ભગવાને કહ્યું – જે પ્રમત્ત છે તે બહાર છે, જે અપ્રમત્ત છે તે અંદર છે.
જ્યારે જ્યારે જીવનમાં પ્રમાદ આવે છે, ત્યારે ત્યારે તે વ્યક્તિને બહાર લઈ જાય છે. જ્યારે જ્યારે અપ્રમાદ આવે છે ત્યારે ત્યારે વ્યક્તિ પોતાના ઘરમાં પાછી ફરે છે. પ્રમત્ત ઃ અપ્રમત્ત
એક વ્યક્તિ મુનિ બને છે, દીક્ષા લે છે. આપણે જોઈએ છીએ કે તે વૈરાગી છે, દીક્ષા લેવા માટે મંચ ઉપર ઊભો છે. તેણે સાધુ વેશ પહેર્યો છે. આચાર્ય તેને દીક્ષિત કરી રહ્યા છે. આપણે આ બધી બાબતો નિહાળીએ છીએ, પરંતુ એ સચ્ચાઈ તરફ આપણું ધ્યાન જ નથી જતું કે જ્યાં સુધી વ્યક્તિ સાતમા ગુણસ્થાને નથી પહોંચતી ત્યાં સુધી તેની દીક્ષા પૂર્ણ થતી નથી. દીક્ષાની તમામ ઔપચારિકતાઓ ત્યારેં સાર્થક બને છે કે જ્યારે વ્યક્તિ સાતમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે. એનો અર્થ એ થયો કે વ્યક્તિ ત્યારે જ દીક્ષિત બને છે કે જ્યારે પોતાના ઘરમાં પહોંચી જાય છે, અપ્રમત્ત બને છે. એમ માનવામાં આવે છે કે મુનિ છઠ્ઠા ગુણસ્થાને રહે છે પરંતુ તે છઠ્ઠા ગુણસ્થાનમાં ક્યારેય મુનિ બનતો જ નથી. મુનિ જીવનમાં પ્રવેશ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે
વ્યક્તિ પોતાના ઘરમાં રહે, અપ્રમત્ત રહે. છઠ્ઠા ગુણસ્થાનપ્રમત્તગુણસ્થાનમાં. વ્યક્તિ બીજાના ઘરમાં પણ પહોંચી જાય છે. અપ્રમત્ત વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે છે. આ એક નિશ્ચિત પરિભાષા છે – જે જે પ્રમત્ત છે તે તે ઘરની બહાર છે, જે જે અપ્રમત્ત છે તે ઘરની અંદર છે. મૂલ્યાંકનની દૃષ્ટિ
આચારાંગ સૂત્રનું અધ્યયન છે – સમ્યક્ત્વ અધ્યયન. આ સમગ્ર અધ્યયનમાં સમ્યકત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યકત્વ અને
– અસ્તિત્વ અને અહિંસા કે ૧૭૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org