________________
થયું – તેમ ન થયું. આવી વાતોનો મન ઉપર એક પ્રકારનો બોજ બની જાય છે – તે બોજ ઊતરવો જરૂરી છે. આપણે એવી ચિંતાનો ભાર ન વેઢારવો જોઈએ, પ્રમત્ત અને આર્ત ન બનવું જોઈએ. પોતાની ચેતના અને પોતાના આત્મા સાથે પ્રીતિ કરવાનું શીખવું જોઈએ. જે વ્યક્તિમાં આવી પ્રીતિ જાગી જાય છે, તેના જીવનમાં ધર્મ અવતરે છે. તેનો અસંતોષ સંતોષમાં પરિવર્તિત થઈ જાય છે. તેના વિલાસ અને ક્રૂરતાના ભાવ વિલીન થઈ જાય છે. એ વ્યક્તિ સદાય આનંદનું જીવન જીવે છે. રાજસ્થાનની એક જાણીતી કહેવત છે – “સદા દિવાલી સંતકે, આઠો પર આનંદ. પોતાની જાતને પ્રીતિ કરનાર વ્યક્તિ આઠેય પ્રહર આનંદનું જીવન જીવે છે, તેને કોઈ અપેક્ષા નથી રહેતી. પોતાની જાતને પ્રેમ કરનાર વ્યક્તિ જ પ્રેમને વિરાટ રૂપ આપી શકે છે. પોતાની જાત સાથેની પ્રીતિ જ વિરાટ સાથેની પ્રીતિ છે અને એ જ પોતાના કલ્યાણનો, માનવીમાત્રના કલ્યાણનો માર્ગ છે.
-----
-- અસ્તિત્વ અને અહિંસા કે ૧૬૧
-
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org