________________
વિલાસ સાથે જોડાયેલી છે ક્રૂરતા
આજે જગતમાં ક્રૂરતાને કારણે અનેક આંદોલનો ચાલી રહ્યાં છે. અનેક દેશોમાં પ્રાણીઓને ક્રૂર રીતે મારવામાં આવે છે. પ્રસાધન સામગ્રી તૈયાર કરવાના હેતુથી પ્રાણીઓનો વ્યાપક સંહાર થાય છે. હિન્દુસ્તાન જેવો ધર્મપ્રધાન દેશ પણ આ સમસ્યાથી મુક્ત નથી. વિલાસની ભાવનાની પૂર્તિની પૃષ્ઠભૂમિમાં કેટકેટલાં પ્રાણીઓની આહ અને તેમના કરુણ ચિત્કાર હોય છે ! જેટલાં ઐશ્વર્ય, વિલાસ અને ભોગ છે તે તમામની સાથે ક્રૂરતા જોડાયેલી છે. વિલાસ, ઐશ્વર્ય અને ભોગની પ્રવૃત્તિએ ક્રૂરતાને ભડકાવી છે. આજે જગતમાં કરૂણાશીલ લોકોની સંખ્યા
ઓછી છે અને ક્રૂર લોકોની સંખ્યા વધી રહી છે. તેનું એક મુખ્ય કારણ વિલાસની ભાવના પ્રબળ બની છે તે છે. વધી રહેલા વિલાસનાં સાધનો થકી પણ આ સમસ્યા ઉગ્ર બની છે. શોષણનું કારણ
આજકાલ શોષણ વિશે વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળે છે. ક્રૂરતા વગર બીજાઓનું શોષણ કરવાનું શક્ય નથી. જ્યારથી સામ્યવાદ અને સમાજવાદનો સિદ્ધાંત પ્રસ્તુત થયો છે ત્યારથી એવો સ્વર અનેક વખત ઉદ્ઘોષિત થતો રહ્યો છે કે ગરીબોનું શોષણ ન કરો. એમ લાગે છે કે આજે પણ એ સ્વર પ્રભાવક બની શક્યો નથી. શોષણનું ચક્ર યથાવત્ ચાલી રહ્યું છે. માણસની ક્રૂરતાને કારણે શોષણની સમસ્યા ગંભીર બની છે. જેનામાં ધર્મના સંસ્કારો નથી, એનામાં એટલો જ અધિક અસંતોષ છે, ક્રૂરતાનો ભાવ છે. આજે પણ ધન મેળવવા માટે એક માણસ બીજા માણસની હત્યા કરી નાંખે છે. માનવી માનવી પ્રત્યે સંવેદનશીલ નથી, કરુણાશીલ નથી. આપણે તેને વિલાસ અને ક્રૂરતા પણ કહી શકીએ, ભીતરની અતૃપ્તિ કે અસંતોષ પણ કહી શકીએ. જ્યાં સુધી ભીતરથી તૃપ્ત થવાની વાત સમજાતી નથી, ત્યાં સુધી વિલાસ અને ક્રૂરતાની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. વિરાટ સાથે પ્રીતિ
વ્યક્તિની અંદર એક અતૃમ ઝંખના સળવળતી રહે છે. તે એમ વિચારે છે કે આજે આ ન થયું, આજે અમુક ચીજ ન મળી, આમ ન
– અસ્તિત્વ અને અહિંસા ત ૧૬૦
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org