________________
ક્યારેય નહિ આવે. મહાવીરે ક્યારેય એમ નથી વિચાર્યું કે હું કેવો દેખાઉં છું? જો મહાવીર એમ વિચારત તો તેઓ ક્યારેય અચેલ ન બની શક્યા હોત. જે સ્વયં પરિપૂર્ણ બની જાય છે, સમર્થ અને તૃત બની જાય છે તેને બહારની સાજ-સજાવટની જરૂર રહેતી નથી. અતૃપ્તિઃ ઉત્સુકતા
વિલાસ અસંતોષ પેદા કરે છે અને અસંતોષને ભડકાવવામાં બહારની વાતો ખૂબ ભાગ ભજવે છે. આપણા જગતમાં એટલો બધો કોલાહલ છે કે તે માણસને વિચલિત કરી મૂકે છે. જે પોતાની જાતને પ્રેમ નથી કરતો, માત્ર બહારના કોલાહલમાં જીવે છે તે ક્યારેય તૃત નથી થતો. કોઈપણ ઘટના ઘટે છે ત્યારે વ્યક્તિનું ધ્યાન એ તરફ દોરાઈ જાય છે. તે ચંચળતાનું એક લક્ષણ છે. વ્યક્તિની અતૃપ્તિ જ ઉત્સુકતા જગાડે છે. બાહ્ય ઘટના અને કોલાહલ તેનું એક કારણ બની જાય છે. જે વ્યક્તિમાં અતૃમિ મટતી નથી, જે વ્યક્તિ કોલાહલ સાંભળતી રહે છે, તે વિલાસ અને પ્રદર્શનથી મુક્તિ પામી શકતી નથી, પોતાની જાતને પ્રેમ કરી શકતી નથી. સંતોષ છે સ્વયં સાથે પ્રીતિ - જો આપણે સુખ મેળવવું હોય, ધર્મનો મર્મ જાણવો હોય તો બે બાબતો સ્વીકારવી પડશે : આપણે પોતાની જાતને પ્રેમ કરવાનું શીખીએ અને બાહ્ય કોલાહલ સાંભળવાનું બંધ કરીએ. આ નિર્ણય પોતાના ભીતરમાંથી પ્રગટ થવો જોઈએ. સંતોષ જો હોય તો તે પોતાના ભીતરમાં જ છે, અન્યત્ર ક્યાંય નથી. જે દિવસે સંતોષ પ્રગટ થાય છે એ દિવસે વિલાસની ભાવના સમાપ્ત થઈ જાય છે. ઘણા લોકો એવી જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે સંતોષ શું છે ? સંતોષ કોને કહેવાય ? સંતોષનો અર્થ છે પોતાની જાતને પ્રેમ કરવો. આપણે પોતાને પ્રીતિ કરીએ, સંપૂર્ણ પ્રીતિ કરીએ, સમ્યક્ પ્રીતિ કરીએ, પોતાના જ ઇષ્ટ સાથે પ્રીતિ કરીએ. અહ, મુનિ, આચાર્ય આ તમામ આપણા જ ભીતરમાં છે. તેથી પોતાની જાતને પ્રેમ કરવાનું શીખવું જોઈએ. એ વ્યક્તિ સંતોષી છે કે જે પોતાની જાતને પ્રેમ કરે છે. જે વ્યક્તિ બાહ્ય પદાર્થોથી સંતુષ્ટ થવાના ઉધામા કરે છે તે ક્યારેય સંતુષ્ટ થતી નથી. સંતોષ જ પરમ સુખ છે અને તે
---
અસ્તિત્વ અને અહિંસા , ૧૫૮ --
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org