________________
સર્વોત્તમ સમાધાન
અભ્યાસનું એક સૂત્ર છે – કલ્પનાઓનું ભેદન. આચારાંગનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – બિધૂતકપે – કલ્પનાનું ભેદન કરો, કલ્પનાઓનું
જીવન ન જીવો, વ્યર્થ કલ્પનાઓ ન કરો. દુઃખ અને માનસિક તનાવ કલ્પનાના આધારે પોષાય છે. કલ્પનાથી મુક્ત થવાનું સૂત્ર છે – વર્તમાનની અનુપશ્યના, વર્તમાનનું દર્શન. વર્તમાનને જોનાર વ્યક્તિ અગ્રહણનું જીવન જીવી શકે છે. જો વર્તમાનને છોડીને વ્યક્તિ ભૂતકાળની
સ્મૃતિમાં અટવાઈ જાય, ભવિષ્યની કલ્પનાઓમાં ખોવાઈ જાય તો તે સુખ દુઃખના ચક્રથી ક્યારેય મુક્ત ન થઈ શકે. સુખ કે દુઃખની ક્યારેક કોઈ ઘટના ઘટી જાય છે. વ્યક્તિ એ ઘટનાની સ્મૃતિથી દયનીય બની જાય છે, પાગલ બની જાય છે. સ્મૃતિ અને કલ્પનાથી બચનાર વ્યક્તિ જ અગ્રહણની દિશામાં આગેકૂચ કરી શકે છે.
- જો આપણે ગ્રહણ ન કરવાનો અભ્યાસ કરીએ, જે ગ્રહણ થઈ જાય તેનું રેચન કરી દઈએ, તેની ગાંઠ ન બનાવીએ તો આપણે દ્રષ્ટા બની શકીએ છીએ, અરતિ અને આનંદ બંન્નેથી પર થઈ શકીએ છીએ, દુઃખ અને તનાવથી બચી શકીએ છીએ. ધર્મનો શબ્દ છે – આર્તધ્યાન અને આધુનિક શબ્દ છે – માનસિક તનાવ. અગ્રહણને સાધવું, ગ્રહણ ન કરવાનો અભ્યાસ અને ગૃહીતનું રેચન કરવાની વૃત્તિનો વિકાસ – આ સમસ્યાનું સર્વોત્તમ સમાધાન છે. આ ઉપાયને ઉપયોગમાં ન લેનાર આર્તધ્યાન તથા માનસિક તનાવથી બચી શકતો નથી, અરતિ અને આનંદથી આગળ વધી શકતો નથી.
-- અસ્તિત્વ અને અહિંસા
૧૩૫
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org