________________
બધાંને જોતો જ રહે, પકડતો જ રહે તો આંખોની કેવી હાલત થશે ? મનની કેવી હાલત થશે ? માનવી એ બધું જોતાં જોતાં પાગલ નહિ બની જાય શું? તે જોતાં જોતાં અંદરથી દુઃખી બની જાય છે. એકાદ-બે સાથે જોડાનાર પણ દુઃખ ભોગવે છે તો હજારો સાથે જોડાનાર શું તનાવથી ઘેરાઈ જતો નથી? તે એટલું બધું તનાવયુક્ત જીવન જીવશે કે જીવનમાં કશું જ કરી નહિ શકે. રેચન કરવાનું શીખીએ
ગ્રહણ ન કરો – એ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે, પરંતુ તે સૌ કોઈ માટે શક્ય નથી બનતો. ગ્રહણની મર્યાદા રાખો – એવો સિદ્ધાંત સૌ કોઈ માટે શક્ય બની શકે છે. આપણે અગ્રહણની વાત સુધી પહોંચી શકતા નથી, એના માટે ક્રમશઃ અભ્યાસ કરવો પડે છે. આપણે ગ્રહણ કરવાની આદતને નબળી પાડીએ, નબળી પાડતા જ રહીએ તો એક દિવસ આપણે અગ્રહણની સ્થિતિમાં પહોંચી જઈશું. અભ્યાસનું પ્રથમ સૂત્ર છે - છોડવાની આદત કેળવીએ, રેચન કરવાનું શીખીએ. ગ્રહણ કરીએ અને કાઢી દઈએ. શ્વાસની પ્રક્રિયા એનું એક ઉદાહરણ છે. જો શ્વાસ માત્ર લીધા જ કરવામાં આવ્યો હોત, તેને બહાર કાઢવામાં ન આવતો હોત તો માણસ જીવી જ ન શક્યો હોત. એ નિશ્ચિત નિયમ છે – શ્વાસ લેવાની સાથે તેને છોડવો જરૂરી છે. એ જ નિયમ ભોજનનો પણ છે. માણસ ભોજન કરતો જ રહે, કરતો જ રહે અને તેનો ઉત્સર્ગ ન કરે તો તે ક્યાં સુધી જીવી શકે ? અર્જનની સાથે વિસર્જનનો સંબંધ છે. વ્યક્તિ માત્ર અર્જન કરતી રહે અને વિસર્જન ન કરે, સંગ્રહની મર્યાદા ન રાખે તો એ તનાવથી ઘેરાઈ જશે.
આપણી સમક્ષ આ ત્રણ નિયમો છે. શ્વાસ અને નિઃશ્વાસનો, આહાર અને નીહારનો તથા અર્જન અને વિસર્જનનો. એવી જ રીતે ગ્રહણ અને રેચનનો પણ એક નિયમ છે.
આપણા ભીતરમાં એવી શક્તિ જાગવી જોઈએ કે દુઃખ આવે તો એનું ગ્રહણ કરીએ અને પછી તેનું રેચન કરી દઈએ. સુખ આવે તો એનું પણ ગ્રહણ કરીએ અને પછી એનું રેચન કરી દઈએ. આપણે કોઈપણ ચીજને પકડી ન રાખીએ. છોડવાની આ પ્રક્રિયા ભગવાન મહાવીરના અગ્રહણ સિદ્ધાંતનું મહત્ત્વપૂર્ણ સૂત્ર બની શકે છે.
--——— અસ્તિત્વ અને અહિંસા ક ૧૩૪ -
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org