________________
એ પાપ શી રીતે કરશે ?
ધર્મનો એક મહાપ્રશ્ન છે, જીવનની સફળતાનું એક મહાન સૂત્ર છે - માનવી પાપ ન કરે, પાપથી દૂર રહે. પાપ શબ્દ શુષ્ક, કડવો અને કાંટાની જેમ ડંખનારો શબ્દ છે. કોઈ માણસ પાપી બનવાનું ઇચ્છતો નથી. પાપ કરનાર પણ પોતાને પાપી કહેવડાવવાનું ઇચ્છતો નથી. ધર્મના ક્ષેત્રમાં આ શબ્દ જેટલો નિંદનીય અને અવાંછનીય છે, એટલો બીજો કોઈ શબ્દ નથી. વિકટ પ્રશ્ન
મુશ્કેલી એ છે કે માણસ પાપ નથી ઇચ્છતો, તેનું ફળ નથી ઇચ્છતો છતાં તે પાપ કરે છે.
ફલ પાપસ્ય નચ્છન્તિ, પાપ કુર્વત્તિ માનવાઃ | ફલ ઘર્મસ્ય વાચ્છતિ, ન ધર્મ વિહિતાદરાઃ |
માણસ પુણ્યનું ફળ ઇચ્છે છે, પરંતુ પુણ્ય નથી કરતો. પાપનું ફળ નથી ઇચ્છતો છતાં પાપ તો કરતો જ રહે છે. એક વિકટ પ્રશ્ન છે કે પાપ કોણ નથી કરતું ? પાપને શી રીતે છોડી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે આપ્યો – જે ત્રિવિદ્યા છે, જે પરમ જ્ઞાની અને પરમ દર્શી છે, જે સમત્વદર્શી છે, તે માણસ પાપ નથી કરતો. આ ત્રણ ગુણોનો વિકાસ થયા પછી માણસ પાપથી બચે છે. ત્રિવિદ્ય કોણ?
ત્રિવિદ્ય એ છે કે જે ત્રણે વિદ્યાઓને જાણતો હોય. ત્રણ વિદ્યાઓ આ પ્રમાણે છે –
૦ પૂર્વજન્મનું જ્ઞાન ૦ જન્મ અને મરણના રહસ્યનું જ્ઞાન
– અસ્તિત્વ અને અહિંસા - ૧૨૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org