________________
પણ આવી જ પરિણતિ હોય છે. તનાવમાં વ્યક્તિને નિદ્રા નથી આવતી. માનસિક ચિંતા હોય ત્યારે પણ નિદ્રા નથી આવતી. એ જાગરણ છે, પરંતુ અનિદ્રાની બીમારીનું પરિણામ છે. પ્રશ્ન એ ઉભવે છે કે શું અધ્યાત્મમાં પણ આવી કોઈ પીડા હોય છે, કે જે માણસને ચોવીસે કલાક જાગૃત રાખી શકે ? જ્યારે મનમાં આવી બેચેની, આવી પીડા પ્રબળ બને છે – આ સંસાર કેવો છે? અહીં માત્ર દુઃખ જ દુઃખ છે. જન્મનું દુઃખ છે, મૃત્યુનું દુઃખ છે, રોગ અને ઘડપણનું દુઃખ છે. આ દુઃખમય સંસારમાં જીવ લેશ પામે છે
જન્મ દુઃખ જરા દુઃખ, રોગાય મરણાણિ ય, અહો દુઃખો હુ સંસારો જન્ચ કીસંતિ જજોવો.
જ્યારે આ દુઃખની અનુભૂતિ થવા લાગે છે, ત્યારે વ્યક્તિની નિદ્રા ઊડી જાય છે. જ્યાં સુધી આ દુઃખનો અનુભવ નથી થતો, ત્યાં સુધી ચોવીસે કલાક જાગવાની સ્થિતિ બનતી નથી. તેથી અનેક ભારતીય દર્શનોએ દુઃખવાદને મહત્ત્વ આપ્યું. દુઃખવાદ
દર્શનના ક્ષેત્રમાં સુખવાદી અને દુઃખવાદી એવા બે પ્રવાહો જોવા મળે છે. - જૈન, બૌદ્ધ અને સાંખ્ય-આ તમામ દુઃખવાદી દર્શન છે. સાંખ્ય દર્શનનું સૂત્ર છે- જ્યારે વ્યક્તિ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણેય તાપોથી તપ્ત થાય છે ત્યારે તેમાં સમ્યક્દર્શન પ્રગટે છે. જાગવાની સ્થિતિ બેચેનીમાંથી જ પેદા થાય છે. જૈન દર્શનમાં આ જ વાત કહેવામાં આવી – જ્યાં સુધી આ અનુભૂતિ નથી થતી કે આ સંસાર દુઃખબહુલ છે, હું જેને સુખ સમજું છું તે હકીકતમાં દુઃખ છે- ત્યાં સુધી માણસ જાગતો નથી. કદાચ એટલા માટે જ કહેવામાં આવ્યું કે સુખ સાપેક્ષવાદ નથી. જે લોકોમાં જાગવાની ઝંખના પ્રબળ બની, તેમણે દુઃખને નિમંત્રણ પાઠવી દીધું. જાગવા માટે દુઃખ જરૂરી છે. જો કષ્ટ ન હોત તો જગત એવું આંધળું બની ગયું હોત કે તે કોઈની ચિંતા ન કરતું હોત. આજે પણ જે લોકો ધનવાન છે, સત્તાધીશ છે, જો તેમને દુઃખ ન પડતું હોત તો તેઓ કોઈની પરવા ન કરતા હોત, પરંતુ પ્રકૃતિના એ સાર્વભૌમ નિયમનો કોઈ અપવાદ નથી કે પ્રત્યેક દુઃખ સાથે સુખ
- અસ્તિત્વ અને અહિંસા ન ૧૨૧ –
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org