________________
કષાયી વ્યક્તિ પણ જાગૃત નથી હોતી. તે ક્યારેક ક્રોધમાં હોય છે, તો ક્યારેક લોભ અને કપટભર્યું જીવન જીવે છે. આવા ભાવોમાં જીવનાર વ્યક્તિને જાગૃત કહી ન શકાય. તેને ક્યારેય સત્યની ખબર જ નથી પડતી. અધ્યાત્મની ભાષા
જે માણસ વિકથામાં રહે છે તે પણ જાગેલો નથી. જે ક્યારેક કામકથામાં મગ્ન રહે છે, ક્યારેક ભોજનની કથામાં અને ક્યારેક રાજકારણમાં ડૂબેલો રહે છે તે પણ જાગેલો નથી. એનો અર્થ એ છે કે એ વ્યક્તિ સારની વાત નથી કરતી, જે વાતોનું જીવનનિર્માણમાં કશું જ મહત્ત્વ નથી હોતું તેમાં જ ઓતપ્રોત રહે છે. આવો માણસ ક્યારેય જીવનની સચ્ચાઈ સુધી પહોંચી શકતો નથી.
અધ્યાત્મની ભાષામાં એવો અનુભવ કરવામાં આવ્યો કે જે સત્ય નથી પામતો તે સૂતેલો છે. જાગેલો એ છે કે જેણે સત્યને જોયું છે, જાયું છે અને સત્ય સાથે જીવન જીવે છે.
એક એ વ્યક્તિ પણ સૂતેલી છે કે જે નિદ્રા લે છે પરંતુ તે રાતદિવસ નિદ્રા નથી લેતી. નિદ્રા અને અનિદ્રા બન્ને સાથેસાથે ચાલે છે. પરંતુ જે વ્યક્તિ વિષય, કષાય વગેરે પ્રવૃત્તિઓવાળું જીવન જીવે છે તે ચોવીસે કલાક સૂતેલી રહે છે. તેથી કહેવામાં આવ્યું કે – “સુત્તા અમુણિણો સયા, મુણિણો સયા જાગરતિ” અજ્ઞાની માણસ જાગતો હોવા છતાં સૂતેલો છે, જ્ઞાની માણસ સૂતેલો હોવા છતાં જાગતો છે. જ્ઞાની માણસની આંતરિક ચેતના સદાય જાગરૂક રહે છે. જાગરૂકતાનું નિદર્શન
મુનિ માટે એમ કહેવામાં આવ્યું કે - મુનિ નિદ્રા લે તો એણે જાગરૂક નિદ્રા લેવી જોઈએ. સૂતેલો હોવા છતાં તેણે પૂરેપૂરા જાગરૂક બની રહેવું જોઈએ. જાગરૂક એ હોય છે કે જેને કોઈ ખરાબ સ્વપ્ન આવતું ન હોય, ખરાબ કલ્પનાઓ આવતી ન હોય. જાગરૂક વ્યક્તિનું લક્ષણ એ છે કે સ્વપ્નમાં પણ તેને ખરાબ વિચારો ન આવે. જ્યારે મહાસતી સીતાને અગ્નિપરીક્ષા માટે લાવવામાં આવ્યાં ત્યારે અગ્નિકુંડ પાસે ઊભાં રહીને તેમણે કહ્યું કે –
મનસિ વીસિ કાયે જાગરે સ્વપ્નમાર્ગે યદિ મમપતિભાવો રાઘવાદન્યપુસિા
–– અસ્તિત્વ અને અહિંસા ૧૧૯ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org