________________
ઇચ્છે છે સુખ, જાય છે દુઃખની દિશામાં
માનવી જે ઇચ્છે તે મળી જાય એ સંવાદિતા છે, યથાર્થ છે. ઇચ્છે કંઈક અને મળે કંઈક એ વિસંવાદિતા છે, વિપર્યાય છે. પ્રત્યેક પ્રાણી સુખાર્થી છે. તે માત્ર સુખ ઝંખે છે. સુખ ઇચ્છે અને સુખ મળી જાય એમાં સંવાદિતા છે. જેવી ઇચ્છા તેવી પ્રાપ્તિ. પરંતુ સુખ ઇચ્છે અને દુઃખ મળી જાય તો એ વિસંવાદિતા છે, વિપર્યા છે. છતાં એવું થાય છે. પ્રશ્ન એ છે કે એવું કેમ થાય છે ? સુખ અને દુઃખનો પ્રશ્ન
શિષ્ય આચાર્યને આ જ પ્રશ્ન પૂછયો – સુખ વાંછતિ સર્વોડપિ, દુઃખ કોડપિ ન વાંછતિ / સુખાર્થ યતતે લોકો, દુઃખ તથાપિ જાયતે //
તમામ પ્રાણી સુખ ઇચ્છે છે, દુઃખ કોઈ નથી ઇચ્છતું. માનવી હંમેશાં સુખ માટે પ્રયત્ન કરતો હોય છે, છતાં તેને દુઃખ મળી જાય છે એનું કારણ શું છે ?
આચાર્યે કહ્યું – દુ:ખ મૂચ્છ મનુષ્યાણાં, અમૂચ્છ વર્તતે સુખમ્ | મૂઢો દુઃખમાપ્નોતિ, અમૂઢઃ સુખમેધત /
મૂચ્છ દુઃખ છે. સુખ અમૂર્છા છે. મૂઢ વ્યક્તિ દુઃખ પામે છે. જે મૂઢ નથી તે સુખ પ્રાપ્ત કરે છે. સુખ અભાવાત્મક વ્યાખ્યા | સુખ અને દુઃખની એક વ્યાખ્યા છે – મૂચ્છ દુઃખ છે, અમૂચ્છ સુખ છે. સુખ-દુઃખની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી. પશ્ચિમના નીતિશાસ્ત્રીઓએ તથા ભારતના અધ્યાત્મવેત્તાઓએ સુખ-દુઃખના સંદર્ભમાં અનેક વ્યાખ્યાઓ આપી છે. એપિક્યરસની એક વ્યાખ્યા છે - દુઃખનો અભાવ એ જ સુખ છે. આ અભાવાત્મક વ્યાખ્યા છે. વ્યક્તિને શારીરિક અને માનસિક પીડા ન હોય ત્યારે એ કહે છે કે હું
------- અસ્તિત્વ અને અહિંસા એ ૧૦૫ --~--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org