________________
શ્રાવિમળનાથ ચરિત્ર પ્રમાણે ધારેલે સ્થાને રહે છે. મારી ઉપર રાગી થયેલા તે રાક્ષસે જે પિતાની બધી ગુપ્ત વાત હતી તે મારી આગળ પ્રકાશિત કરી તે મેં તમારી આગળ નિષ્કપટપણે સ્પષ્ટ રીતે કહી આપી છે. પ્રથમ તમે મને સાંઢડી બનાવીને રાખે. તે પછી અહિં રહેલી આ બે કુંપિકા ગ્રહણ કરે કે જેથી તે રાક્ષસના મનમાં શંકા ન આવે” રાજકન્યાનાં આવાં વચન સાંભળી તે મંત્રીએ ચિંતવ્યું કે “આ રાજકન્યાએ મારી આગળ મર્મની વાત જણાવી, તેથી હવે તેણીના ભાગ્યમે તે પાપીનો અવશ્ય પરાભવ થવાનો જ.” આવું ચિંતવી મંત્રીએ પેલા કૃષ્ણ અંજનથી તેણીને પુનઃ સાંતડી બનાવી અને તે સ્વસ્થ અને ગુપ્ત સ્થાનમાં સંતાઈ રહ્યું. પછી જ્યારે રાત્રિ પડી એટલે યમરાજના જેવો તે રાક્ષસ હાથમાં દંડ લઈને ત્યાં આવ્યું અને અંજનથી તે સાંઢને કન્યા બનાવી તે સ્વસ્થપણે ત્યાં રહ્યા. તેવામાં તેને નાસિકા દ્વારા માણસની ગંધ આવી, એટલે તે બે કે “અરે રાજકન્યા ! આ ઘરમાં કે મનુષ્ય છે? જે હોય તે મને સત્વર કહી દે.” રાજકન્યા બોલી. “અરે ! પિતજ માનુષી છું. તે વિષે કાંઈ ખેદ કરે નહીં. રાજકન્યાના આ વચન ઉપરથી તે પાપી મમાં ટ્યિ કરી મંત્ર જાપ કરવા બેઠે. આ વખતે મંત્રી કટિબદ્ધ થઈ અને પોતાના પ્રચંડ ભુજદંડમાં પિલે દંડ લઈ તે રાક્ષસ પ્રત્યે બે. “અરે પાપી, જીવહિંસા કરવામાં તત્પર એવા તને રાક્ષસને મારે શું કરવું? કારણ કે, જીવરક્ષા કરનારા પ્રાણીઓને તારે સ્પર્શ કરે પણ યુકત નથી. જે તું આ ઉજજડ નગરને વસાવે, આ રાજકન્યાને સુખ સંપત્તિનું કારણરૂપ એવું મુકિતદાન (છુટકારો) આપે, અને મને ખાટલે વિગેરે ત્રણ વસ્તુઓ આપે, તો તારે છુટકારો થશે, તે શિવાય કપાતકાલે પણ નહીં થાય.” મંત્રીના આવાં વચન સાંભળી પાપના પ્રસરવાથી હણાઈ ગયેલા તે પાપીને તે મંત્રી સામે ઉત્તર આપવાની પણ બુદ્ધિ સૂઝી નહીં, પણ તેણે આ પ્રમાણે ચિંતવ્યું. “આ કોઈ મનુષ્ય નથી પણ નિક કે દંત્ય લાગે છે, તે સિવાય આ પુરૂષમાં આવું સામર્થ્ય કેવી રીતે સંભવે ! લોકમાં કહેવાય છે કે “યે દેવતાથી ઘણાંજ બલવાન હોય છે.” અથવા આ પૃથ્વી ઉપર રાક્ષસનો પણ ઉપાય કરનારા વિદ્યા છે. વળી આ માણસ-પક્ષ ગુપ્ત રહેલી મારી વસ્તુએ નો જ્ઞાતા છે, તેથી એ કેઈ સર્વજ્ઞના જે દેખાય છે, માટે જે હું આ માણસના વચનનું અપમાન કરીશ તો કેઈપણ રીતે મારે છૂટકાર થશે નહીં.” આ પ્રમાણે મનમાં લાંબો કાળ ચિંતવી તે રાક્ષસે મંત્રીએ કહેલું સર્વ કબુલ કર્યું. આ લોકમાં જીવિતને માટે કોઈપણ કબુલ કણ ન કરે? પછી તે રાક્ષસે તે નગરમાં ઘણા લેકેને શોકરહિત લાવી વસાવ્યા, પવિત્ર રાજપુત્રને રાજ્ય ઉપર બેસાર્યો અને પેલી બાટલો વિગેરે ત્રણ વસ્તુઓ અને બે કુંપિકા મંત્રીને આપી. તે પછી વાણીથી નિયંત્રિત થયેલ તે રાક્ષસ પિતાને ગ્ય સ્થાને ચાલે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org