SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ બારમા વ્રત ઉપર શાંતિમતીની કથા. ૩૧૯ પિતાની સતી પુત્રી શાંતિમતીને કહ્યું, “હે નિર્મળ વત્સ! તું યોગ્ય ભજન કેમ કરતી નથી ? અન્ન વગર તારા પ્રાણ આધાર વગરના (નિરાધાર) થઈ હમણાંજ ચાલ્યા જશે.” શાંતિમતી બેલી, “માતાપિતા, મેં બારમું અતિથિસંવિભાગ વ્રત લીધું છે, તેથી કઈ પણ અતિથિને કાંઈક ભેજન આપીને હું જમું છું. હાલ વર્ષાદને લઈને અહિં સાધુઓ આવતા નથી તેથી હું તે વ્રતને કારણે ઉપવાસ કરું છું.” તે સાંભળી માતા પિતા બલ્યા, “વત્સ, તે તું ઘેરથી ભજન લઈ ઉપાશ્રયે જઈ સાધુઓને જલદી આપી આવ્ય.” શાંતિમતી બેલી, “સાધુઓ તે સામે લાવેલો આહાર લેતા નથી.” માતાપિતાએ કહ્યું, “તે પછી અન્ન વિના તારૂં જીવિત શી રીતે રહેશે?” તે બાલા ફરીવાર બોલી, “માતાપિતા ! તમારા પ્રસાદથી મેં એ વતે આજ સુધી હંમેશાં પાન્યાં છે, તો હવે તેને ભંગ કેમ કરૂં? જેઓ પોતાના જીવિતને માટે વ્રતને ભંગ કરે છે તેઓ ક૯પાંત સુધી જીવે અથવા સ્વર્ગે જાય તે પણ તે શા કામનું છે? કદિ મારો જીવ જાય, તો ભલે જાય, પણ હું મારા નિયમને છોડીશ નહિં.” તેણીએ વિચારવાળી બુદ્ધિથી આ નિશ્ચય કર્યો. પિલી પદ્મચનાનું અતિ ભેજન કરવાથી રાત્રે વિસૂચિકા (કલેરા) ને રેગ થઈ આવ્યું અને તે દિવસે મૃત્યુ પામી ગઈ. તે અતિ પ્રાજ્ઞ હૃદયવાળી પણ વ્રતના ભંગથી વંતરી થઈ. પછી બે દિવસે ભારે મેઘવૃષ્ટિ શાન્ત થઈ ગઈ. સારી વાસનાવાળા સાત દિવસના ઉપવાસને અંતે તે મુનિઓ ગુરૂની વાણુથી નિજલ દેશમાં વિહાર કરવાને એકઠા મળીને ચાલ્યા, જે દયાળુ મુનિઓ ફરતા ફરતા ત્યાં ગેચરીએ પધાર્યા, તેમને ભિક્ષા આપી શાંતિમતીએ પારણું કર્યું. આ પ્રમાણે તે નિરતિચાર અતિથિસં. વિભાગ વ્રતને ભાવથી આરાધી અંતે અનશન લઈ બીજા દેવલેકમાં ગઇ. ત્યાંથી વી મહાવિદેહમાં જન્મી હર્ષથી વ્રત આદરી અંતકાલે શાશ્વત મોક્ષને પામશે. એવી રીતે પ્રારા મનુષ્યએ સદા આ વ્રત પાળવું કે જેથી મહાસુખદાયક અને ગુણોથી પ્રગટ થનારે મોક્ષ પ્રાપ્ત થાય. इति द्व दशं व्रतम्. આ પ્રમાણે પૂર્વે કહેલા ચાર વ્રતોથી શ્રી ગુરૂનો સંગ થાય અને પછી લોકોમાં તેની શિક્ષા પ્રવર્તે તે ઉપરથી એ શિક્ષાત્રત કહેવાય છે. આ બાર પ્રકારને શ્રાવકધર્મ બાર દેવકને આપનારો છે અને સૂર્યની જેમ સમ્યગૃષ્ટિ મનુષ્યનું સર્વતમ-અંધકારને હરનાર છે. જેમ સર્વ રસવતી રૂચિથી ઉત્તમ પુષ્ટિ આપનારી અને અનંત બળ કરનારી થાય છે, તેવી રીતે સર્વ કિયા રૂચિથી સંવર પુષ્ટિ આપનારી અને અનંત બળ ૧ રૂચિ-છા. ૨ ભાવ પ્રતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy