SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા વ્રત ઉપર વીરસેન ને પદ્યસેનની કથા ૩૦૩ કરવા જોઈએ.” ગુરૂનાં આ વચન સાંભળી વીરસેન શેઠે કહ્યું, “આપ પૂજ્ય ગુરૂના આદેશથી હું તે વ્રતનું યથાશકિત પાલન કરીશ.” પછી ગુરૂએ તેને તે વ્રત આપ્યું. પિતાની પાછળ રહેલ પદ્મસેન ભાવ રહિત હરે, તેમ છતાં તેણે બાહ્યાવૃત્તિથી ગુરૂનાં વચન સાંભળી તે વ્રત અંગીકાર કર્યું. એક વખતે તે નગરમાં કઈ ધૂતારો આવ્યો. મંત્રયંગ વિગેરેથી લોકોને આદરપૂર્વક છેતતે હતે. પદ્મસેન અહર્નિશ આનંદથી તેની સેવા કરવા લાગ્યા. તે જોઈ તેના પિતા વીરસેને વિશિષ્ટ ઉચિત ભાષાથી તેને આ પ્રમાણે શિક્ષા આપી– વત્સ ! એ ધૂતારો માયાવી પરને વંચના કરવામાં તત્પર રહેનારો અને કુલિંગીઓને ભકત છે, માટે કદિ પણ તારે તેનો સંગ કરે નહિં. તેમાં જેઓ અનર્થદંડના વ્રતમાં તત્પર રહેનારા ધર્મી જન છે, તેમણે તે મંત્રયંત્રને માટે તેને વિશેષપણે કદિ સંગ કરે ન જોઇએ.” એવી રીતે વિચારવાયોગ્ય ઘણું વચનવડે પિતાએ તેને વાર્યો તે છતાં પદ્મસેને કદિ પણ તેને સંગ છેડો નહિં. એક વખતે રત્નચૂડ નામનો કઈ મિત્ર પદ્ધસેનને મળી આવ્યો. તેની પાસે તે મંત્રપાઠ શીખે. પછી તેણે પુછયું કે, તેની પાસે શીખેલા મંત્રો મલે છે?” તેણે કહ્યું, “તેણે મને છેતર્યો છે. અને મને ખોટા મંત્ર વિગેરે આપ્યા છે. ” પક્વસેને તિ સાંભળીને તેની આગળ કહ્યું કે, “તેનું કહેલું ઔષધ વિગેરે સર્વ સાચું છે. તું તેમાંથી વંધ્યાકલ્પ ગ્રહણ કર્યું કે જેના પ્રયોગથી સ્ત્રીઓને અવશ્ય પુત્રાદિ થાય છે અને તેથી કરીને પિતાનું મહત્વ વધે છે. પછી રત્નચૂડે વંધ્યાકલ્પ લઈ રાજપત્નીને ઔષધ આયું. તે ઉગ્ર ઓષધના વેગથી રાજપત્ની મૃત્યુની સ્થિતિમાં આવી ગઈ. રાજાએ પિતાના માણસ એકલી રત્નચૂડને મયૂરબંધથી બાંધી લેકનિંદાપૂર્વક પિતાની પાસે બેલાવ્યો અને કહ્યું કે, “ અરે અધમ ! તેં આ શું કર્યું, કે જેથી મારી ગુણવતી પત્ની હમણાં જ મૃત્યુની સ્થિતિમાં આવી ગઈ?” રત્નચૂડ બે, “પધસેને મને તે વંધ્યાકલ્પન પ્રવેગ કહ્યો હતો. પછી તે પુત્ર રહિત એવી આપની રાણીને આપે.” રાજાએ રત્નચૂડને નિરપરાધી જાણી છેડી મુકો. પછી પદ્મસેનને બોલાવી ક્રોધથી આ પ્રમાણે કહ્યું, “અરે ! તેં રત્નચૂડને વંધ્યાદેષને હરનારે બેટ પ્રયોગ કેમ શીખ?” પદ્ધસેન બે, “હું તો રત્નચૂડને ઓળખતા નથી.” આ સાંભળી રાજાએ ચિંતવ્યું કે, આજ મૃષાભાષી છે, તેમાં કેઈજાતને સંશય નથી પછી રાજાએ ક્રોધથી પ્રજ્વલિત થઈને કહ્યું, “જે આમાંથી મારી પત્ની વિપરીત થશે, તો હું તારા દેવને લઈને તારો શિરછેદ અવશ્ય કરીશ.” રાજાનું આ વચન સાંભળી ભયથી બ્રાંત શરીરવાલો પધસેન હૃદય ફાટવાથી મૃત્યુ પામી ગયું અને તે ચોથી નારકીમાં ગયે. તથા વીરસેન તે સુંદર અનર્થદંડ વિરતિનું વ્રત લાંબે વખત પાલી મૃત્યુ પામીને ઈશાન દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy