________________
આઠમા વ્રત ઉપર વીરસેનને પદ્મસેનની કથા. ૩૦૧ તે દષ્ટિગોચર થતો નથી.” વિસેને કહ્યું, “તે વ્યંતરે કે અહિતકારી અનર્થ કર્યો? ગુરૂ બોલ્યા. તેણે કરેલા અનર્થને નિર્ણય સાંભળ–વિજય નામના નગરમાં અરિમર્દન નામે રાજા છે, તેને સિંહના જેવો પરાક્રમી સુબુદ્ધ નામે મંત્રી છે અને વિજય નામે પુત્ર છે. એક વખતે રાજાની સભામાં કૃતજ્ઞ અને પુણ્યનું પાત્રરૂપ કેઈ નિમિત્તિ આવી ચડે. તે રાજાને આશીર્વાદ આપી ચગ્ય આસને બેઠે. રાજાએ કાંઈક ફળ આગળ ધરી તેને પુછયું, “જોષીજી, તમે શું નિમિત્ત જાણે છે? તે હમણાં કહે.” જોષીએ કહ્યું, “રાજનું, હું ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બનાવ જાણું છું.” રાજા બે, “હે વિદ્વત શિરોમણિ ! ભૂત અને વર્તમાનનું તો શું પ્રયોજન છે? પરંતુ કાંઈ ભવિષ્યની વાત કહે.” જોષી બોલ્યા “ સ્વામી ! આજથી સાતમે દિવસે આ તમારા મિત્રને કુટુંબ સહિત નાશ થઈ જશે.” રાજાએ કહ્યું, “તે વાતની ખાત્રી શી?” જોષી બેલ “હે નરાધિપ! જે હમણાંજ તમારો હસ્તી ખીલે ઉખેવને અહિં આવે તો મારી વાણી સત્ય માનજે.” જેપી આ પ્રમાણે કહેતે હતો, તેવામાં હસ્તી ત્યાં આવ્યું. તેને જોતાં જ જાણે શાપ લાગ્યો હોય તેમ રાજા ખેદ પામી ગયે. રાજાને તે ખેરાતુર જોઈ મંત્રીએ કહ્યું, “સ્વામી ! આપ હૃદયમાં શામાટે દુઃખ ધરે છે ? હું તેને ઉપાય કરીશ.” પછી તે મંત્રી જોષીને પોતાને ઘેર લઈ ગયો અને પૂછયું કે,
શા કારણથી મારા કુલને ક્ષય થશે ?” જોષીએ કહ્યું, “તમારા પુત્રથી.” મંત્રીએ પુનઃ કહ્યું, “તે પુત્ર એવું શું કરશે, કે જેથી મારા કુલનો ક્ષય થશે ?” જોષીએ કહ્યું, “તમારો પુત્ર રાજાના ઘરમાં અન્યાય કરશે, તેને લઇને તમને હાનિ થશે.” જોષીનાં આવાં વચન સાંભળી તેણે જોષીને સત્કાર કર્યો. પછી એકાંતે બોલાવીને તેણે પુત્રને કહ્યું, “વત્સ ! તારાથી આપણે કુટુંબને ક્ષય અવશ્ય થવાને છે ” પુત્ર છે, “પિતાજી, જે એમ હોય, તે હું પિતે મૃત્યુ પામીશ પણ સ્વકુટુંબને ક્ષય કદિ પણ કરીશ નહિં.” મંત્રીએ કહ્યું, “વત્સ જે તારા મૃત્યુથી કુટુંબ જીવે, તો પછી વિચાર કરવામાં ચતુર આશયવાળું મારું મંત્રિત્વ ક્યાં રહે? જ્યારે હું તને અને કુટુંબને છવાડું તેજ મારી બુદ્ધિની ખરી સિદ્ધિ ગણાય; પરંતુ તારે મારા વચન પ્રમાણે કરવું પડશે.” “તમારું એવું વચન શું છે?” પુત્રે પુછયું. એટલે મંત્રીએ કહ્યું, “વત્સ! તું હમણાંજ એક પિટીમાં પ્રવેશ કર્ય, એથી કુટુંબનું જીવિત રહેશે.” પુત્રે તે વાત કબુલ કરી. પછી મંત્રીએ અંદર પક્વાન્ન અને જળ સ્થાપી રાખી એક પેટીમાં પુત્રને હરકત ન થાય તેવી રીતે રાખે. તે પેટી રાજાની સભામાં લાવી મંત્રીએ રાજાને આ પ્રમાણે કહ્યું, “સ્વામી, જે તે જેપીનું વચન સત્ય થાય, તે આ પેટીમાં રહેલું મારું સર્વસ્વ તમારે લહી લેવું અને જે તેનું વચન મિથ્યા થાય, તે આ સર્વસ્વ મને પાછું આપવું. આ પિટી જ્યાં સુધી તે દિવસ આવે (અવધિ પૂરી થાય) ત્યાં સુધી તમારી નજર રાખવી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org