SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી વિમળનાથ ચરિત્ર. અને ઉત્તમ તપ આચયુ. અખિલ સિદ્ધાંતનું અધ્યયન કરી અંતે અનશન લઇ તે મૃત્યુ પછી દેવતાઓમાં ઉત્તમ મહેદ્ર થયા. આ પ્રમાણે જે સુરેંદ્રદત્તની જેમ બ્રહ્મચ ધારણ કરે છે, તેએ મનુષ્ય છતાં પણ દેવતા અને દાનવ વિગેરેને પૂજનીય થાય છે, इति चतुर्थ व्रतम् પુરૂષ ઇચ્છાવડે ધનધાન્ય વિગેરે પરિગ્રહનું પ્રમાણ કરે છે, તે શ્રમણેાપાસક પુરૂષને પાંચમું પરિગ્રહપરિમાણુવ્રત કહેવાય છે. એ વ્રત ગ્રહણ કરવાથી સમ્યકત્વમૂલ ખરવાનુ... ગ્રહણ પણ થાય છે, કારણકે, એથી સર્વે ના નિયમ થઇ આવે છે. જે સદ્ગુ દ્ધિવાલા પુરૂષ વિધિવડે પરિગ્રહપ્રમાણનુ વ્રત પાલે છે, તે પુરૂષ દેવદત્તની જેમ સુખી થાય છે, જે પુરૂષ એ વ્રત ગ્રહણ કરી પછી તેની વિરાધના કરે છે, તે જયદત્તની જેમ મરણાદિ દુઃખ પામે છે, તેથી વિવેકી પુરૂષે તેની વિરાધનાને ત્યાગ કરવા. દેવદત્ત અને જયદત્તની કથા. પ્રિયકર નામે એક ગામમાં દેવદત્ત નામના એક વણિક હતા, તેને છાયાની જેમ દરિદ્રતા સાથે રહેતી હતી. તેને જયદત્ત નામે એક મિત્ર હતા, તે પણ તેના જેવા જ નિન હતા. કારણ કે, આ પૃથ્વીમાં સમાન શીળમાં મૈત્રી થાય છે. એક વખત દેવદત્ત સાથે ભાતું લઇ ધન મેળવવા માટે ગ્રામાંતર જતા એક ભયંકર અટવીમાં આવી ચડયા. ત્યાં કાઇ નદીના તીર ઉપર તે ભાતું ખાવા બેઠે, તેવામાં કઇ એક સ્ત્રી વનમાંથી ત્યાં આવી. તેણીને જોઇ વિસ્મય પામી જેવામાં તે કાંઇ કહેવા જતા હતા તેવામાં ત સ્ત્રી બેાલી, “બધા! મારૂ વચન સાંભળ-અત્યારે ક્ષુધાથી મારા રવામીના પ્રાણ જાય છે અને તુ જમે છે તે તને ઘટિત નથી. મે` જે કહ્યું તેનેા વિચાર કર્યાં. ક્ષુધાના જેવા બીજો કોઇ રોગ નથી, કારણ કે, તેનાથી પ્રાણ જાય છે અને અન્નના જેવું ઔષધ નથી કે, જે ખાવાથી ક્ષુધાના રોગ તરત ચાલ્યા જાય છે.” તે મારેા બનેવી કયાં છે ? ' દેવદત્ત પૂછયું. “ તું મારી પાછળ ચાલ, તને તે બતાવું.” તે સ્ત્રીએ કહ્યું, તે પછી તે દેવદત્ત તેણીની પાછળ ચાલ્યા. કેટલેક ગયા પછી ભુખ્યા, તરસ્યા, શ્રાંત, ભ્રાંત અને સંપત્તિ રહિત તે પુરૂષને તેણે પૃથ્વી ઉપર પડેલા જોયા. તેણે પેાતાના હાથ લાંબે કર્યાં એટલે દેવદત્તે તેને ભાતુ આપ્યું. પછી પેલી સ્ત્રી ખેાલી, “હે સજ્જન, હવે જલ લાવી આપી મારા પતિને સાજો કરી દે. ” તેણે પૂછ્યું, “ અહિં જલ કયાં છે ? ” “ અહિ' પાસેના એક ખાડામાં જલ છે. ’” તે સ્ત્રીએ કહ્યુ.... તે પછી દેવદત્ત તેણીની પાછળ ત્યાં ગયા. તે ખાડામાંથી દેવદત્ત જલ ખેંચવા લાગ્યા, તેવામાં તે કપટી સ્ત્રીએ તેને ખાડામાં હડસેલી નાખ્યા, પણ તે પડતાં પડતાં વચ્ચે આવેલી એક વૃક્ષની શાખાને વળગી રહ્યા, તે શાખા ઉપર રહેતાં તે ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy