________________
શ્રી વિમળનાથ પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. સાધી લીધું. જ્યારે તે મગધ દેશમાં ગયે, ત્યાં કેટી મનુષ્યોથી ઉપાડી શકાય તેવી એક કેટિશિલા તેના જેવામાં આવી. ઇંદ્રના જેવા પરાક્રમવાલા તે સ્વયંભએ એક યેજન પહોળી અને વિસ્તારવાળી તે કટિ શિલાને પિતાના ડાબા હાથ વડે રમતમાં ઉપાડી લીધી. પુનઃ બલવાનોને પોતાનું અતુલ બલ દર્શાવતા તે સ્વયંભૂ વાસુદેવે તે શિલાને પાછી ત્યાં મુકી દીધી અને પછી થોડા દિવસે તે દ્વારકામાં આવી પહોંચ્યો. ત્યાં ચક, બર્ગ, ધનુષ્ય, શંખ, વનમાળા, ગજેન્દ્ર અને મણિ-એ સાત પ્રભારી રત્નો તેને પ્રગટ થયા; તે સિવાય બીજી ચકવર્તીની અર્ધ સમૃદ્ધિ પણ તેને પ્રાપ્ત થઈ કારણકે, જીને પુણ્યાનુસારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પછી સર્વ રાજાઓથી વીંટાએલા ર પિતાના બંધુ ભદ્રની સાથે તે સ્વયંભૂને વાસુદેવપણને અભિષેક કર્યો. જાણે જંગમ નિધાન હોય તેવા તેણે કેને દાન આપ્યું, કેઈને દાન તથા માન આપ્યા, કેઈને આદરથ' સ્થાન આપ્યું અને કેઈને જંગમ નિધાન જેવું પાન વાહન આપ્યું. ખરેખર ! જે ઈષ્ટદાન છે, તે સર્વેનું મુખ્ય વશીકરણ છે. વાસુદેવ સ્વયંભૂએ રાજધર્મથી લોકોના અને જિનધર્મથી ધર્મીએના અન્યાયને દૂર કરી સારે યશ પ્રાપ્ત કર્યો.
આ અરસામાં બે વર્ષ સુધી વિહાર કરી શ્રી વિમળનાથ પ્રભુ વિચરતા વિચરતા તે પિતાના દીક્ષાસ્થાનમાં પુનઃ આવી ચડ્યા. તે પ્રભુ મમતા રહિત, અહંકારથી વર્જિત, ક્રોધરૂપી યોદ્ધાને ત્યાગ કરનાર માયારૂપી સ્ત્રીથી રહિત લેભના ક્ષેભથી વર્જિત, મેડ,
હ તથા મદ વગરના, હાસ્ય, લાય, રતિ, અતિ, શોક, અવિરતિ અને ભીતિથી મુકત, લીલા, પ્રમીલા વડે વિષમ એવા કામ રતિમ અનાસકત, પ્રતિબંધના ત્યાગી, વિરાગી, નિઃસ્પૃહ, સહન કરનાર, જુગુ, કીડા, કલહ, અને દ્વેષને વેગથી રહિત, ખેદ, પ્રમાદ, આ સ્વર, વિવાદ અને સ્વાદને વર્જનારા, મીનધારી, જ્ઞાની સદાધ્યાની, સુંદર સંતોષના પિોષક અપ્રમાદી જોને આનંદ આપનાર, પરીષહોને જીતનાર, અષ્ટાંગગ સહિત, ભવવાસથી વિયુક્ત, શત્રુ તથા મિત્રમાં સમાન ચિત્તવાલા, શુભકમમાં પ્રવર્તેલા, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ક્ષમા, દયા, માર્દવ, સરળતા, વૈરાગ્ય, મુકિત, સત્ય, પરાજય, શૌચ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સંયમ, બુદ્ધિ, ભાવના, સંવર, ઉદારતા અને નિર્જરા વિગેરે જે અનુત્તર ગુણ કહેવાય છે, તે વડે પિતાના આત્માને ભાવનારા હતા. તેવા વિમળનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધારી ત્યાં આવેલા એક જબૂર. ક્ષની નીચે શુદ્ર સ્થાનમાં છઠ્ઠ તપ કરી સ્થિર થઈ પ્રતિમાને વહન કરતા (કાઉસ્સગધ્યાને) રહ્યા. ત્યાં અને પૂર્વ કરણમાં રહી ક્ષેપક શ્રેણુને પ્રાપ્ત થયેલા પ્રભુએ ક્ષીણ મેહ ગુણને અંત કરી ઘાતિર્મોને ઉછેદ કર્યો. પછી શુકલધ્યાને રહેલા પ્રભુ પોષ માસની શુકલ પછીને દિવસે ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં કેવળજ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org